આણંદ અને નડિયાદ નગરોના વિકાસ માટે કરોડો રૂપિયાનું ફાળવણી પેકેજ
રાજય સરકાર દ્વારા ર૦રપના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવા સાથે શહેરોમાં સસ્ટેનેબલ નાગરિકોના અર્નિગ વેલ- લિવિંગ વેલને સાકાર કરવાનો વ્યૂહ અપનાવ્યો છે. જેમાં નવરચિત મહાનગરપાલિકાઓમાં રોડ રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ, સેનિટેશન જેવા ભૌતિક આંતર માળખાકીય સુવિધાઓના કામો ઉપરાંત આંગણવાડી, શાળાના મકાનો, લાયબ્રેરી, અર્બન હેલ્થ સેન્ટર વગેરે સુવિધા માટે નાણાં ફાળવ્યા છે. જે અંતર્ગત વિકાસ કામો માટે આણંદ મનપાને ૭૮.૦૭ કરોડ અને નડિયાદને ૭પ કરોડની ફાળવણીને સૈદ્વાંતિક મંજૂરી આપવામાં આવી છે.
વધુમાં નવરચિત મહાનગરપાલિકાઓમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની માંગને પહોંચી વળવા મુખ્યમંત્રી શહેરી બસ સેવાઓની સીએનજી બસ સંચાલન માટે ર૦રપથી ર૦ર૭ના ૩ વર્ષ સુધી દર વર્ષ ૩૯ કરોડ રુપિયા ફાળવવાનો નિર્ણય કરાયો છે.