નડિયાદ: શીતવંદન કોમ્પ્લેક્સમાં બાકી વેરા માટે પાંચ દુકાનો સીલ
નડિયાદ મહાનગરપાલિકાની વેરા વિભાગની ટીમે આજે મહાગુજરાત નજીક આવેલા શીતવંદન કોમ્પ્લેક્સમાં મોટી કાર્યવાહી કરી છે. બાકી વેરાની વસૂલાત માટે કોમ્પ્લેક્સની પાંચ દુકાનો સીલ કરવામાં આવી છે.
કોમ્પ્લેક્સના માલિકની મુખ્ય ઓફિસ પર 82,000 રૂપિયાનો વેરો બાકી છે. ઉપરના માળે આવેલી ચાર દુકાનો પર લગભગ દોઢ લાખ રૂપિયાનો વેરો બાકી છે. આમ, કુલ મળીને આ પાંચ દુકાનો પર લગભગ 6 લાખ રૂપિયાનો વેરો ચૂકવવાનો બાકી છે.
મહાનગરપાલિકાની ટીમ છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં વેરા વસૂલાતની કામગીરી કરી રહી છે. તેમણે પહેલા પીપલગ ચોકડી વિસ્તારમાં ત્રણ એકમોની તપાસ કરી હતી. આજે વધુ બે એકમોમાં કાર્યવાહી કરવામાં આવી છે.