Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

આણંદના બંધ મકાનમાંથી મોટી ચોરી : ચાંદીના સિક્કા અને રોકડ રકમ ઉડાવી

આણંદના બંધ મકાનમાંથી મોટી ચોરી : ચાંદીના સિક્કા અને રોકડ રકમ ઉડાવી

આણંદમાં અક્ષર ફામ ર્નજીક આવેલ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મુખ્ય દરવાજાનો નકુચો તોડીને ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ બેડરુમમાં પ્રવેશીને તિજોરી તોડીને ૪૦ જેટલા ચાંદીના સિકકા અને રૂ. પ૦ હજારની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. મકાન માલિકના વડોદરા રહેતા દિકરીએ ઘટના અંગે આણંદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

બનાવ અંગે દીક્ષીતાબેન પુરોહિતે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ વડોદરા ખાતે રહે છે. તેઓનું પિયર આણંદમાં અક્ષર ફાર્મ નજીક ર-બી રોયલ પાર્કમાં આવેલું છે. તેમના પિતા ભાવેશભાઇ એલિકોન કંપનીમાંથી નિવૃત થયા બાદ માતા પ્રીતીબેન સાથે અમેરિકા રહે છે. જયારે બંધ મકાનની દેખરેખ મામાના દિકરા પ્રતીકભાઇ પુરોહિત કરતા હતા.

ગત ર૩ ડિસે. ર૦ર૪ના રોજ રાત્રે સવા નવેક વાગ્યે પ્રતીકભાઇએ ફોન કરીને દીક્ષીતાબેનને કહ્યું હતું કે, તેમના પિતાના ઘરના દરવાજાનો નકુચો તૂટેલો છે અને ઘરમાં ચોરી થયાનું જણાય છે. જેથી દીક્ષીતાબેન અને તેમના પતિ આણંદ આવ્યા હતા. જયાં ઘરમાં તપાસ કરતા સામાન વેરણછેરણ અને બેડરુમમાં તિજોરીના દરવાજા ખુલ્લા હતા. તિજોરીમાં તપાસ કરતા એલિકોનમાં નોકરી દરમ્યાન તેમના પિતાને મળેલા ૩ મોટા અને ૭ નાના ચાંદીના સિકકા તેમજ ૩૦ જેટલા પૂજાના ચાંદીના સિકકા તથા રૂ. પ૦ હજાર ચોરી થયાનું જાણવા મળ્યું હતું. જેથી કોઇ તસ્કરે તા. ર૦ નવે.ર૦ર૪થી ર૩ ડિસે.ર૦ર૪ દરમ્યાન મકાનમાં પ્રવેશીને ચોરી કરી હતી. પિતા ભાવેશભાઇ વિદેશ હોવાથી આજરોજ દિક્ષીતાબેન દવેએ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા તસ્કર સામે ગૂનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Advertisement

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement