Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

ખેડાના રઢુ ગામ બાદ હવે માતરના મહેલજમાં ગેરકાયદે બ્રિજ તોડી પડાયો

ખેડાના રઢુ ગામ બાદ હવે માતરના મહેલજમાં ગેરકાયદે બ્રિજ તોડી પડાયો

નડિયાદ : ખેડા તાલુકાના રઢુ ગામ બાદ હવે માતરના મહેલજમાં ગેરકાયદે બ્રિજ તોડી પડાયો છે. વાત્રક નદી પર ગેરકાયદે રીતે બ્રિજ બનાવાયો હતો. ત્યારે સ્થાનિકો આ બ્રિજ ભૂમાફિયાઓએ નહીં પરંતુ આસપાસના ગ્રામજનોની સુખાકારી માટે બનાવ્યો હોવાનો દાવો કરી રહ્યા છે. જો કે, નદીમાં ખનન પ્રવૃતિ માટે જ આવા બ્રિજ બનાવાઈ રહ્યા છે, તે અનેક કેસમાં સામે આવ્યુ છે.

માતર તાલુકાના મહેલજ ગામની નજીકથી વાત્રક નદી પસાર થાય છે. આ વાત્રક નદીની ઉપર મહેલજથી ખેડાના રઢુ ગામને જોડતો ૧૦૦ ફૂટનો બ્રિજ તોડી પડાયો છે. સિમેન્ટના નળ નાખી અને ગેરકાયદેસર બ્રિજ બનાવાયો હતો. 

મામલતદારના આદેશ બાદ આ બ્રિજ તોડી નાખતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. જો કે, આ બ્રિજ ગ્રામજનો ઉપયોગમાં લેતા હતા કે પછી ભૂમાફિયાઓ તે અંગે હજુ સુધી તંત્રમાંથી કોઈ અધિકારીએ સત્તાવાર નિવેદન આપ્યું નથી. આ બ્રિજ પણ ભૂમાફિયાઓ દ્વારા જ ગેરકાયદેસર ખનન પ્રવૃતિ માટે ઉપયોગમાં લેવાતો હોવાની ચર્ચાઓ છે. નદીમાંથી રેતી ખનન કરી અને એક તરફથી બીજી તરફ લઈ જવાતી હતી. જો કે, ખનીજ માફિયાઓએ બનાવેલો આ બ્રિજ સ્થાનિકો પણ ઉપયોગ કરતા હતા.

Advertisement

આ મામલે સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે, સિમેન્ટના મોટા ભૂંગળા નાખીને બનાવાયેલો આ બ્રિજ આસપાસના ગ્રામજનો પણ ઉપયોગમાં લેતા હતા. લોકોને ૪૦ કિલોમીટરનું અંતર આ બ્રિજના કારણે ૧૦ કિલોમીટર થઈ જતું હતું. જેથી ૩૦ કિલોમીટરનો ફેરો ઘટતો હતો. તંત્ર દ્વારા સ્થાનિકો માટે બ્રિજ કાયદેસરનો બ્રિજ બનાવાય તે જરૂરી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement