ઉનાળે અણધારી વરસાદ, બાજરીના ખેતરમાં પાણી અને ખેડૂતનાં આંખે આંસુ
સોજિત્રા પંથકના ગામડાઓમાં સામાન્ય રીતે ઉનાળુ બાજરીનો પાક કરતા હોય છે ખેડૂતો 15 જૂન પછી ચોમાસુ પ્રારંભ થવાની અને વરસાદ પડવાની ગણતરી સાથે ઉનાળુ ખેતી પાકો કરે છે. ઉનાળુ ખેતીપાકો મે માસના અંત સુધીમાં લઈ નવી સીઝનની તૈયારીઓ કરી દેતા હોય છે પરંત 10 વર્ષ બાદ મેં માસમાં જ કમોસમી વરસાદનો પ્રારંભ થઈ ગયો છે છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.Top News
હવામાન વિભાગ દ્વારા આ વર્ષ ચોમાસુ એક સપ્તાહ વહેલું શરૂ થવાનું જાહેર કરાયું છે. એ જોતાં જો ચોમાસાનો પ્રારંભ જૂન માસના પ્રારંભથી જ થાય તો ખેતરમાં ઉભો પાક ડાંગર અને બાજરીનો પાક પલળી જવાની ખેડૂત આલમમાં ચિંતા પ્રસરી જવા પામી છે. વરસાદ હજુ પંદર દિવસ સુધી રોકાઈ ન જાય તો ખેડૂતોએ ઉનાળુ બાજરી અને ડાંગરના પાક માટે કરેલ મહેનત અને ખર્ચ પરત ફરવાની સંભાવના છે એ સિવાય હવે ખેતરોમાં તૈયાર થયેલ પાક નિષ્ફળ જવાની સાથે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
એકબાજુ ઉનાળાની સિઝનમાં બાજરીની કાપણી અને લણણી માટે ભાલ પંથક અને દાહોદ, અલીગઢ બાજુના મજૂરો દર વર્ષ આવતા હતા પરંતુ આ વર્ષ કોઈ મજૂરો ડોકાયા નથી એટલે ખેડૂતો મજૂરોની શોધમાં આમતેમ ફરી રહ્યા છે. ભાલ પંથકના મજૂરો તારાપુર ચોકડીએ ઉતરતા હોઈ ખેડૂતો તારાપુર ચોકડીએ મજૂરોની શોધ ચક્કરો મારી રહ્યા છે તો કેટલાક મોટા ખેડૂતો દાહોદ અને એમ.પીના જાબુવા અને અલીગઢ પંથકમાં મજૂરોને લેવા માટે જઈ રહ્યા હતા પરંતુ મજુરો ન મળતાં સ્થાનિક મજુરો દ્ધારા તૈયાર પાકની કાપણી અને લણણી માટે અસહ્ય ગરમીમાં મોઘી મજુરી આપીને પાક લેવાની ફરજ પડી હતી
જ્યારે ભર ઉનાળે કમોસમી વરસાદને પગલે ખેડુતોને બાજરી, ડાંગર, શાકભાજી સહિતના પાકને વ્યાપક નુકશાન થયું છે. ડાંગર ઊભી હોય આડી પડી જતા અને પલળી જતાં હવે ડાંગરનો ભાવ પણ સારો મળશે કે કેમ તેવી ભિતી સેવાઇ છે. ગઈકાલે રાત્રિના સમયે ભારેપવન સાથે વરસેલા વરસાદને કારણે ખેતરમાં બાજરી અને ડાંગરના પાકને નુકસાન થયું છે. ઉભી બાજરી અને ડાંગર પલળી જતાં પડી ગઈ છે જેથી ખેડૂતોને સારા ભાવથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.