આણંદ: સ્વચ્છતા અભાવને પગલે હોટલ ક્રિસન્ટ સીલ
આણંદ મનપાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે જાહેર સ્વચ્છતા બાબતે હોટેલ-રેસ્ટોરન્ટની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં લાંભવેલ રોડ પરની હોટલમાં સ્વચ્છતા અને હાઇજીનનો અભાવ જોવા મળતા હોટલ સીલ કરવામાં આવી હતી.
મળતી વિગતોમાં મનપાના આરોગ્ય વિભાગની ટીમ, મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ, સેનેટરી ઇન્સ્પેકટર અને ટીમ દ્વારા શહેરના લાંભવેલ રોડ પર, ઇન્દિરા ગાંધી સ્ટેચ્યુ નજીક આવેલ હોટલ ક્રિસન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. હોટલમાં સ્વચ્છતાનો ભાવ અને ગંદકી જોવા મળી હતી.
મનપાની ટીમ દ્વારા તપાસણી કરતા હોટલ ખાતે બિલકુલ હાઇજીન ન હોઇ અને લોકોના આરોગ્યને જોખમીરુપ હોવાથી તાત્કાલિક અસરથી હોટલ કાયદાની જોગવાઇને આધીન જીેપીએમસીની કલમ ૩૭૬ અંતર્ગત હોટલને સીલ કરવામાં આવી હતી.