રેશનકાર્ડ માટે ઇ-કેવાયસી ફરજીયાત, ડેડલાઇન છતાં 2 લાખથી વધુ બાકી
કેન્દ્ર સરકાર દ્વારા તમામ કેટેગરીના રેશનકાર્ડનું ઇ કેવાયસી કરવાનો ફરજીયાત બનાવાયું છે. છેલ્લી તા 10 હોવાથી ડેડલાઇન પૂર્ણ થતાં હજુ પણ રેશનકાર્ડ માટે ઇ કેવાયસી માટે મોટીસંખ્યામાં નગરજનો ઉમટી રહ્યાં છે.બીજી બાજુ તંત્રના ચોપડે હજુ પણ1233801 રેશનકાર્ડ ધારકોએ ઇ કેવાયસી થઇ ગયું છે.પરંતુ 5 વર્ષથી નાના બાળકો અને વયોવૃદ્વ ફિંગર ફ્રિન્ટ નહીં મળતાં વિદેશમાં રહેતા સહિત વિવિધ કારણોસર 214240 રેશનકાર્ડ ધારકોની એટલે કે 83.65 ટકા માંથી 16.35 ટકા ઇ કેવાયસી બાકી પડતાં પુરવઠા વિભાગ હરકતમાં આવી ગયું છે.
આણંદ જિલ્લામાં એનએફએસએ 147541 રેશનકાર્ડ છે. ત્યારે કેન્દ્ર સરકારે રેશનકાર્ડ ફરજીયાત ઇ કેવાયસી કરાવવાના આદેશ કરવામાં આવતાં 6 માસથી નગરજનો હાલાકીઓનો ભોગ બની રહ્યાં છે. કારણ કે વારંવાર સર્વર સિસ્ટમ ખોરવાઇ જતાં 5 કલાક સુધી કચેરીમાં બેસી રહેવાનો વખત આવે છે. જો કે ઇ કેવાયસી કરાવવામાં નહીં આવે તો રેશનકાર્ડ બંધ કરી દેવાની સુચનાઓ આપવામાં આવે છે. છતાં પણ આણંદ જિલ્લાના ઇ કેવાયસી માટે રસ નહીં દાખવતા 241240 રેશનકાર્ડ ધારકોને ઇ કેવાયસી કામગીરી ચોપડે બાકી બોલે છે. બીજી તરફ 83.65 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ હોવાથી 100 ટકા કામગીરી પૂર્ણ કરવા માટે ખંભાત અને તારાપુર, આંકલાવ, સોજિત્રા, પેટલાદ, બોરસદ અને ઉમરેઠ સહિત જિલ્લાની ભરની તમામ મામલતદાર કચેરીઓને ઇ કેવાયસી કામગીરી ઝડપી બનાવવા સુચનાઓ પણ આપી છે.