આણંદમાં અમુલ ડેરી ખાતે ચોંકાવનારી મોકડ્રીલ: ચારથી વધુ “બંધકો”ને સુરક્ષિત બહાર કાઢાયા
આણંદની અમુલ ડેરીમાં આજે સાંજના સુમારે ત્રાસવાદીઓએ ત્રાટકીને ચાર જેટલા અધિકારીઓ-કર્મચારીઓને બંધક બનાવી દેતાં જ એનએસજીની અધ્યક્ષતામાં ચેતક કમાન્ડોએ ઓપરેશન હાથ ઘર્યું હતુ અને ચાર થી પાંચ કલાકની ભારે જહેમત બાદ ચેતક કમાન્ડો દ્વારા સ્થાનિક પોલીસ સાથે સંલન સાધીને આંતકવાદીઓને ઢાળી દઈને બંધકોને મુક્ત કરાવ્યાની મોકડ્રીલ યોજવામાં આવી હતી જેને લઈને શહેરીજનોમાં ભારે કુતુહલ સર્જાવા પામ્યું હતુ.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે સાંજના ચાર વાગ્યા બાદ એકાએક અમુલ ડેરી તરફ જતા તમામ રસ્તાઓને બ્લોક કરીને બેરીકેટર લગાવી દઈને બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને લઈને વાહનચાલકો અને સ્થાનિક રહીશોમાં આશ્ચર્યની સાથે સાથે ભયની લાગણી પ્રસરી જવા પામી હતી. અમુલ ડેરીમાં કાંઈક થયાની વાત વહેતી થઈ જવા પામી હતી. નવાઈની વાત તો એ હતી કે ૫ વાગ્યાથી બંધ કરી દેવામા ંઆવેલા રસ્તાઓ રાત્રીના ૯.૩૦ વાગ્યા સુધી ખોલવામાં આવ્યા નહોતા. વળી અમુલ ડેરીની લાઈટો પણ બંધ કરી દેવામાં આવી હતી. જેને લઈને કાંઈક અજુગતુ થયાની વાત શહેરમાં પ્રસરી જવા પામી હતી.જો કે અંતે મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતુ. હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને ગમે ત્યારે આંતકવાદી હુમલો થઈ શખે છે. ગુપ્તચરો દ્વારા મળેલા ઈનપુટ મુજબ આંતકવાદીઓ દેશની મહત્વની અને મોટી સંસ્થાઓને નિશાન બનાવી શકે છે. તેને લઈને આજે અમુલ ડેરીમાં ૪ જેટલ્થ આંતકવાદીઓએ ત્રાટકીને ચાર જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ડેરીના બીલ્ડીંગમાં બંધક બનાવી લેવામાં આવ્યા હતા. જેની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઉપરાંત એનએસજીને જાણ કરતા ચેતક કમાન્ડોની એક ટીમ તાબડતોબ આણંદ આવી પહોંચી હતી અને અમુલ ડેરીમાં જઈને સ્થાનિક પોલીસ સાથે સંકલન સાધીને સમગ્ર બીલ્ડીંગને ઘેરી લઈને ઓપરેશન હાથ ઘર્યું હતુ અને એક આંતકવાદીને એસઓજીએ તેમજ બે આંતકવાદીઓને ચેતક કમાન્ડો દ્વારા ઠાર મારવામાંમ આવ્યા હતા. જ્યારે એક આંતકવાદીને જીવતો પકડી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ બંધક બનાવાયેલા તમામને છોડાવી લીઘા હતા. સાડા ચાર કલાક સુધી આ ઓપરેશન ચાલ્યું હતુ.