આણંદ જિલ્લામાં 5 વ્યાજબી ભાવની દુકાનોમાં નિયમ ભંગ, તંત્રએ ફટકાર્યા દંડ
આણંદ જિલ્લામાં સરકારી વ્યાજબી ભાવની દુકાનોએ સમયસર જથ્થો ન મળવો, દુકાનો અનિયમિત ખુલવા સહિતની ફરિયાદો અવારનવાર થવા પામે છે. જો કે નિયમોનુસાર જિલ્લાની વાજબી ભાવની દુકાનોની વહીવટી તંત્ર દ્વારા દર માસે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવતી હોય છે. તપાસ દરમ્યાન જથ્થામાં વઘઘટ સહિતની ક્ષતિ જોવા મળે તો દુકાનદારો સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. દરમ્યાન એપ્રિલ ર૦રપમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલ તપાસમાં પ વાજબી ભાવની દુકાનોમાં ક્ષતિઓ ધ્યાને આવતા દુકાનદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પરવાના અનામતની રકમના રૂ.રરપ૦૦ રાજયસાત કરવામાં આવ્યા છે. તેમજ આવશ્યક ચીજવસ્તુઓના જથ્થામાં જોવા મળેલ ઘટ બદલ રૂ.૮૦,૯ર૩નો દંડ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ચાલુ માસમાં તપાસ દરમ્યાન ખંભાત તાલુકાની ફિણાવ સેવા સહકારી મંડળી સંચાલિત વાજબી ભાવની દુકાનનો પરવાનો ર માસ માટે તેમજ પેટલાદ તાલુકાની બાંધણી ગામે આવેલ વર્ષાબેન પરમાર સંચાલિત વાજબી ભાવની દુકાનનો પરવાનો હાલ પૂરતો મોકૂફ કરાયો છે અને શિક્ષાત્મક પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યાનું જાણવા મળે છે.