આણંદ જીલ્લાની ગ્રામ પંચાયતો માટે કરોડો રૂપિયાની સહાયને મંજૂરી: ગામોના વિકાસ માટે મોટો નિર્ણય
રાજ્ય સરકરા દ્વારા આણંદ જિલ્લામાં જર્જરીત હાલતમાં ફેરવાયેલ હોય તેવી 70 ગ્રામ પંચાયતોના નવા પંચાયત ઘર બનાવવા માટે સૈધ્ધાંતિક મંજૂરી આપીને રૂ 19.47 કરોડ મંજૂર કર્યા છે. આ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઇ પટેલ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. તેને ધ્યાને લઇને મુખ્યમંત્રી દ્વારા પંચાયતના આધુનિક મકાન બનાવવા માટે રૂ 25 લાખ થી લઇને 40 લાખ સુધી ગ્રાન્ટ ફાળવી છે.
આણંદ જિલ્લામાં વસતીને ધ્યાને લઈ ૫૨ પંચાયત ઘર બનાવવા માટે એક ગ્રામ પંચાયત દીઠ રૂ.25 લાખ, 14 ગ્રામ પંચાયતો માટે ગ્રામ પંચાયત દીઠ 34.63 લાખ અને 4 ગ્રામ પંચાયતો માટે પંચાયત દીઠ 40 લાખ જેવી માતબર રકમની સૈધ્ધાંતિક મંજુરી આપી છે
આણંદ તાલુકામાં રાવડાપુરા, અજુપુરા, ખાંધલી, ગોપાલપુરા અને મેઘવા (ગાના), ઉમરેઠ તાલુકામાં જાખલા, આશીપુરા, ઘોરા અને ઝાલા બોરડી, બોરસદ તાલુકામાં ઢુંઢાકુવા, કંસારી, ઊનેલી, મોટી શેરડી, ગોરવા, કાંઠિયા ખાડ, કઠોલ, સંતોકપુરા, ડાલી, અમિયાદ અને હરખાપુરા, આંકલાવ તાલુકામાં જોશીકુવા અને ખડોલ (ઉમેટા), પેટલાદ તાલુકામાં બોરીયા, ભારેલ, સુંદરના અને રૂપિયાપુરા, સોજીત્રા તાલુકાના ગાડા, ડાલી, લીંબાલી, કોઠાવી, મેઘલપુર, પલોલ અને ઋણજ, ખંભાત તાલુકાના તરકપુર, વાસણા, ભીમતળાવ અને બાજીપુરા, તથા તારાપુર તાલુકાના બુધેજ, ચાંગડા,વાકતળાવ, ગોરાડ, જીચકા, જાફરગંજ, ખડા, ભંડેરજ, ફતેપુરા, રીંઝા, રેલ, મહિયારી, ચીખલીયા, વરસડા અને વલ્લી ગ્રામ પંચાયતના મકાનો નવીન બનાવવા માટે ગ્રામ પંચાયત દીઠ રૂપિયા 25 લાખની રકમ વસ્તીના આધારે મંજૂર કરવામાં આવી છે.
જ્યારે આણંદ તાલુકાના જોળ, ખંભોળજ અને વલાસણ, બોરસદ તાલુકાના સૈજપુર, વાસણા(બો), બોચાસણ અને કિખલોડ, આકલાવ તાલુકાના જોશી કુવા અને ખડોલ (ઉમેટા), પેટલાદ તાલુકાના પાડગોલ, સોજીત્રા તાલુકાના ત્રંબોવડ અને દેવા તળપદ તથા ખંભાત તાલુકાના હરીપુરા ગામના ગ્રામ પંચાયત ઘર નવીન બનાવવા માટે દરેકને રૂપિયા 34.83 લાખની ફાળવણી વસ્તીના આધારે મંજૂર કરવામાં આવ્યા છે.તેવી જ રીતે આણંદ તાલુકાના હાડગુડ, બોરસદ તાલુકાના નાપા વાટા, દાવોલ અને દહેવાણ ગ્રામ પંચાયત ઘર નવીન બનાવવા માટે વસ્તીના આધારે રૂ.40 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.આમ, આણંદ જિલ્લામાં 70 ગ્રામ પંચાયતોના નવીન ગ્રામ પંચાયત ઘર બનાવવા માટે રૂ 19.47કરોડ ઉપરાંતની સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.