Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

ઉમરેઠના ત્રણ શૌચાલયોની અવ્યવસ્થિત સ્થિતિ, કામગીરી અધુરી રહી

ઉમરેઠના ત્રણ શૌચાલયોની અવ્યવસ્થિત સ્થિતિ, કામગીરી અધુરી રહી

આણંદ જિલ્લાના ઉમરેઠમાં જાહેર શૌચાલયના અભાવને કારણે અને જે ગણીગાંઠી જર્જરિત થયેલા શૌચાલય છે તેની સાફસફાઈમાં સ્થાનિક તંત્રની ઉદાસીનતાને લઈને ઉમરેઠના સ્થાનિકોમાં ખુબ રોષ જોવા મળી રહ્યો છે. ઉમરેઠમાં ખરીદી કરવા આવતા આજુબાજુના ગામડાના લોકો, ઉંમરલાયક વ્યક્તિઓ અને મહિલાઓ જાહેર શૌચાલયના અભાવને કારણે ખૂબ મુસીબતમાં મૂકાતા હોય છે. તેમાં પણ ઉમરેઠમાં આવેલ ત્રણ જાહેર શૌચાલયના નવીનીકરણ અંગે ઓનલાઇન પોર્ટલ માં કામ પૂર્ણ કરવાની છેલ્લી તારીખ પણ જતી રહેલ હોવા છતાં એકપણ શૌચાલયનું કામ કરાયું નહિ હોવાથી નગરજનોમાં આક્રોશ જોવા મળે છે.

ઉમરેઠ ખાતે ચોકસી બજાર, કાછિયા પોળ અને કોર્ટ પાસે એમ ત્રણ ખૂબ જૂની અને જર્જરિત જાહેર શૌચાલય છે. આ ત્રણ શૌચાલયમાં થી કાછિયા પોળ પાસે આવેલ એક મુતરડી તો ઉમરેઠ પાલિકા દ્વારા તોડી નાખવામાં આવેલ છે. હાલ જાહેર શૌચાલય વગર ઉમરેઠના સ્થાનિક અને ખાસ કરીને બહારથી ખરીદી માટે ઉમરેઠ આવતા લોકો ખૂબ પરેશાન છે. ઓનલાઇન પોર્ટલ પર ચેક કરતા સ્પષ્ટ રીતે જાણવા મળે છે કે આ ત્રણે જાહેર શૌચાલયના ટેન્ડર 6 માર્ચ 2023 ના રોજ ખુલી ગયા છે અને વિવી પરમાર જામની એજન્સીએ તા11 માર્ચ 2024ના રોજ વર્ક ઓર્ડર પણ મળી ગયા છે.

ઉપરાંત આ ત્રણે કામ પૂર્ણ કરવાની સંભવિત તારીખ છે 11 સપ્ટેમ્બર 2024 જે ક્યારની નીકળી ગઈ છે. ત્યારે વર્ક ઓર્ડર આપ્યા એક વર્ષ કરતા વધુ સમય વિતી જવા છતાં ઉમરેઠ પાલિકાના સત્તાધીશો દ્વારા માટે કામ શરૂ નથી કરવામાં આવ્યું . એક તરફ ઉમરેઠમાં જાહેર મુતરડી વગર લાંબા સમયથી લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે વર્ક ઓર્ડર આપ્યા એક વર્ષ કરતા વધુ સમય વિતી જવા છતાં ઉમરેઠ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા માટે કામ શરૂ નથી કરવામાં આવ્યું .

Advertisement

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement