Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

મીટર વગરની મુસાફરી: આણંદમાં રિક્ષા ભાડા પર કોઈ નિયંત્રણ નહીં

મીટર વગરની મુસાફરી: આણંદમાં રિક્ષા ભાડા પર કોઈ નિયંત્રણ નહીં

આણંદના નવા-જૂના બસ સ્ટેન્ડ કે રેલ્વે સ્ટેશને દરરોજ સવારે આવતી બસો, ટ્રેનોમાંથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વ્યવસાયિકો, મુસાફરો અવરજવર કરતા હોવાનું જોવા મળે છે. જેમાં મોટાભાગના નિયત સ્થળે પહોંચવા માટે ખાસ કરીને રિક્ષાની મુસાફરી કરતા હોય છે.

આણંદ જિલ્લામાં ૩૧ હજાર ઉપરાંત રિક્ષા હોવાનું આરટીઓના ચોપડે નોંધાયું છે. જેમાંથી ૮ હજારથી વધુ રિક્ષાઓ આણંદ શહેર,તાલુકામાં મુસાફરોની અવરજવર કરાવે છે. પરંતુ નોંધનીય બાબત એ છે કે, એકપણ રિક્ષામાં સરકાર દ્વારા નિયત કરાયેલ નિયમોનુસારના ભાડા મીટર મુજબ મુસાફરો પાસેથી ભાડુ લેવામાં આવતું નથી પરંતુ રિક્ષાચાલકો દ્વારા મનમાની રીતે નકકી કરેલ ભાડુ વસૂલવામાં આવી રહ્યું છે. જેમાં મુસાફરે પર્સનલ રિક્ષા કરીને જવું હોય તો આકરું ભાડુ ચૂકવવાની સામે શટલમાં જવું હોય તો રિક્ષામાં ઠાંસીઠાંસીને ૬થી ૭ મુસાફરોએ ખચોખચ ભરાઇને જોખમી રીતે અવરજવરની ફરજ પાડવામાં આવે છે.

આણંદ શહેરમાં કોઇપણ સ્થળે કે આસપાસના કોઇ ગામ, તીર્થસ્થળે જવા માટે શટલીયા રિક્ષાઓ દોડતી હોય છે. પરંતુ નિયમોનુસાર કિલોમીટરના હિસાબે નહીં પરંતુ રિક્ષાચાલકોએ મનમાની રીતે નકકી કરેલ ભાડુ જ મુસાફરે આપવાની ફરજ પડે છે. જો કે કેટલાક કિસ્સામાં મુસાફરને ભાડુ વધુ લાગે તો અન્ય રિક્ષાની રાહમાં કલાકો સુધી ઉભા રહેવાની પણ ફરજ પડે છે. કારણ કે શહેરના રેલવે-બસ સ્ટેશન, મહેન્દ્ર શાહ ચોકડી, ગ્રીડ ચોકડી, જનતા ચોકડી સહિતના સ્થળોએથી દોડતી રિક્ષાઓના ચાલકોની સિન્ડીકેટ બનેલી છે. જેમાં જે તે સ્થળનું તેઓએ નકકી કરેલ ભાડુ જ સૌ ચાલકો વસૂલતા હોય છે. કોઇ રિક્ષાચાલક ભાડાની રકમ થોડીગણી પણ ઓછી કરીને મુસાફરને લઇ જવાની ઇચ્છા વ્યકત કરે તો અન્ય રિક્ષાચાલકોના ગુસ્સા-ગાળોનો તેણે ભોગ બનવું પડે છે. કયારેક તેને રિક્ષા પણ સ્ટેન્ડ પર મૂકવા માટે અન્ય ચાલકો થકી ઉભી કરાતી પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય છે. જો કે મોટાભાગના રિક્ષા સ્ટેન્ડોની આસપાસમાં જ ટ્રાફિક પોલીસ ફરજ બજાવતા હોય છે. પરંતુ વધુ ભાડુ વસૂલાતું હોવાની ફરિયાદ લઇને ભાગ્યે જ મુસાફરો પોલીસ પાસે પહોંચે છે અને બીજી તરફ આખોયે મામલો જાણતા હોવા છતાંયે ચોકકસ કારણોસર ટ્રાફિક પોલીસ આ મામલે મુસાફરને નિયમસરના ભાડા મુજબ મુસાફરી કરાવવામાં મદદરુપ બનતા નથી.

આણંદ આરટીઓ વિભાગના અધિકારિક સૂત્રોનુસાર નવી રિક્ષાને જે-તે સ્ટોકીસ્ટ દ્વારા ભાડા મીટર અંગે સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ સર્ટિફિકેટ રજૂ કરાયા બાદ જ આરટીઓમાં રિક્ષાનું રજીસ્ટ્રેશન થાય છે. જો કે ભાડા મીટર અંગેની કામગીરી તોલમાપ વિભાગ હસ્તક આવે છે. આરટીઓમાં રજીસ્ટ્રેશન કરાયા બાદ રોડ પર દોડતી રિક્ષાઓમાં ભાડામીટર છે કે કેમ તેની ચકાસણી આરટીઓ દ્વારા કરવામાં આવતી નથી. જો કે નિયમોનુસાર ભાડા મીટર ફરજિયાત હોવા છતાંયે તોલમાપ, આરટીઓ વિભાગ કામગીરીના નામે લાકડાની તલવાર વિંઝતા હોવાથી નકકર પરિણામ મળતું નથી.

આરટીઓ વિભાગના અધિકારિક સૂત્રોએ જણાવ્યું હતું કે, મુસાફરો પાસેથી ભાડા મીટર મુજબ ભાડુ વસૂલવા માટે સરકાર દ્વારા છેલ્લે જૂન,ર૦રરમાં જાહેર કરાયેલ પરિપત્ર હાલ અમલી છે. જેમાં પ્રથમ સવા કિ.મી.નું મીનીમમ ભાડુ રૂ.૧૮થી વધારીને ર૦ કરાયું હતું. જયારે પછીના પ કિ.મી. સુધી પ્રત્યેકના રૂ.૧પ ભાડુ વસૂલી શકાય. સાથોસાથ રિક્ષામાં પુખ્ય વયના ૩ મુસાફરોને જ બેસાડી શકાય અથવા બે પુખ્ત અને બે બાળકોને બેસાડી શકાય.

પરિવહનના નિયમોનુસાર એક જિલ્લામાં રજીસ્ટ્રેશન થયેલ રિક્ષાને અન્ય જિલ્લામંા જવું હોય તો તંત્રની મંજૂરી લેવી પડે છે. પરંતુ આ નિયમ વિશે ખુદ તંત્રના પદાધિકારીઓ જ અજાણ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. આણંદ શહેર-જિલ્લામાં ખેડા, વડોદરા સહિતના જિલ્લાઓમાં પાસિગ થયેલ રિક્ષાઓ મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર માટે દોડતી હોવાનું જોવા મળે છે. નિયમ એ પણ છે કે, અન્ય જિલ્લામાં મંજૂરી વિના ફરતી રિક્ષાને અકસ્માત થાય તો વીમા કલેઇમ ન મળી શકે. સંભવિત અકસ્માતની ઘટના સર્જાય તો ચોપડે બધું ચોખ્ખું કરવા માટે કદાચ આર્થિક કારોબાર કરીને કાગળિયા કરવામાં આવતા હોવાની વાત અસ્થાને નથી.

આણંદ શહેર, જિલ્લામાં ટ્રાફિકને અડચણરૂપ, આડેધડ પાર્કિગ કે અન્ય વાહનોને કનડગત સહિતની સમસ્યા સર્જતી શટલીયા રિક્ષાઓ સામે બોધપાઠરૂપ કાર્યવાહી ભાગ્યે જ થયાનું જોવા મળે છે. ચર્ચાતી વાતોનુસાર જિલ્લામાં શટલમાં ફરતી રિક્ષાઓ પૈકી અડધાથી વધુ રિક્ષાઓના મૂળ માલિક પોલીસ કર્મચારીઓ જ છે. જેમાં તેઓના રોકાણ દ્વારા અન્ય નામે રિક્ષા ખરીદીને તેને દૈનિક ભાડેથી ફેરવવા માટે આપવામાં આવે છે. પોલીસ કર્મીની રિક્ષાનો ખાસ કોડવર્ડ પણ હોય છે. આથી આવી રિક્ષાઓમાં નિયમ વિરુદ્વ મુસાફરો બેસાડેલા હોય કે રોંગ સાઇડે જતી હોવા છતાંયે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

વર્ષોથી આણંદ શહેરમાં રિક્ષા ચલાવતા ચાલકે જણાવ્યું હતું કે, ૧પ વર્ષ અગાઉ આણંદ શહેરમાં ફરતી રિક્ષાઓમાં ભાડા મીટર ફરજિયાતનું અભિયાન તત્કાલીન પીઆઇએ હાથ ધર્યુ હતું. જેમાં નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરાતા અનેક રિક્ષાચાલકોએ કાઢી નાંખેલા ભાડા મીટર રિક્ષામાં ફીટ કરાવી દીધા હતા. પરંતુ બાદમાં રાજકીય સહિતના દબાણના કારણે અભિયાન પડતું મૂકાયું હતું.

આણંદ જિલ્લા રિક્ષા એસો.ના પ્રમુખ ફિરોજભાઇએ એ વાત સ્વીકારી હતી કે, ભાડા મીટર વગર આરટીઓમાં રિક્ષાનું પાર્સિગ થતું નથી. પરંતુ આણંદ શહેર સહિત જિલ્લામાં ભાડા મીટર મુજબ ભાડાની વસૂલાત કરવામાં આવતી નથી. તેઓએ કહયું હતું કે, આણંદ જેવા નાના શહેરમાં ભાડા મીટર ચાલતા નથી. મુસાફરો મીટર મુજબ નહીં પરંતુ ઉચ્ચક ભાડા મુજબ જ મુસાફરી કરવા ઇચ્છતા હોય છે. મોટાભાગે મીટર મુજબ થતા ભાડાની સરખામણીએ શટલીયામાં ઓછા રુપિયે મુસાફર ગંતવ્ય સ્થળે પહોંચી શકે છે.
આણંદ શહેર ટ્રાફિક વિભાગના અધિકારિક સૂત્રોએ જણાવ્યું હતું કે, રિક્ષાઓમાં ભાડા મીટર હોવું ફરજિયાત છે. પરંતુ હેલ્મેટ, સીટ બેલ્ટ, લાયસન્સ સહિતની ચકાસણી માટે રાજયસ્તરેથી કરાતા નિર્દેશાનુસાર કાર્યવાહી કરવામાં આવે છે. તેમ રિક્ષામાં ભાડા મીટર અંગે સૂચના આપવામાં આવે તો તે માટે પણ કાર્યવાહી થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, આણંદ શહેર-તાલુકાઓમાં ફરતી રિક્ષાઓના ભાડા મીટરની ચકાસણી માટે પોલીસ વિભાગ દ્વારા કયારેય સ્પેશ્યલ ડ્રાઇવ યોજવામાં આવી નથી.

વિદ્યાનગરમાં શાળા,મહાશાળા અને કોલેજોમાં ચરોતરના ગામો,શહેરો સહિત અન્ય જિલ્લામાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસઅર્થ દરરોજ અપડાઉન કરતા હોય છે. જેઓ બસ કે રેલ્વે સ્ટેશનેથી વિદ્યાનગર પહોંચવા માટે શટલીયા રિક્ષાનો ઉપયોગ કરતા હોય છે. કોઇ વાલી આણંદ ઉતરીને વિદ્યાનગર માટે પર્સનલ રિક્ષા કરે ત્યારે ૧રપથી ૧પ૦ રૂ. ભાડુ વસુલવામાં આવે છે. જયારે ૬થી ૭ વિદ્યાર્થી,મુસાફરોને ખીચોખીચ બેસાડીને રૂ.ર૦-ર૦માં શટલીયા રિક્ષા ચાલકો વિદ્યાનગર પહોંચાડે છે.આજ પ્રમાણે નવા બસ મથકેથી જનતા ચોકડી અને બોરસદ ચોકડી ૪ કિ.મી.ના રૂ.૧૦૦ (રૂ.ર૦ શટલદીઠ), ગણેશ ચોકડી ૪ કિ.મી.ના રૂ.૧રપથી ૧પ૦ (શટલ દીઠ રૂ.ર૦) સહિતનું ભાડુ વસૂલવામાં આવે છે. તેમાંયે વહેલી સવારે અને મોડી સાંજ બાદ જે તે સ્થળે પહોંચવા વિવશતા અનુભવતા મુસાફરો પાસેથી રિક્ષાચાલકો બમણા જેટલું ભાડુ વસૂલતા હોવાની ફરિયાદ પણ થવા પામી છે.

પરિવહનના નિયમોનુસાર એક જિલ્લામાં રજીસ્ટ્રેશન થયેલ રિક્ષાને અન્ય જિલ્લામંા જવું હોય તો તંત્રની મંજૂરી લેવી પડે છે. પરંતુ આ નિયમ વિશે ખુદ તંત્રના પદાધિકારીઓ જ અજાણ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. આણંદ શહેર-જિલ્લામાં ખેડા, વડોદરા સહિતના જિલ્લાઓમાં પાસિગ થયેલ રિક્ષાઓ મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર માટે દોડતી હોવાનું જોવા મળે છે. નિયમ એ પણ છે કે, અન્ય જિલ્લામાં મંજૂરી વિના ફરતી રિક્ષાને અકસ્માત થાય તો વીમા કલેઇમ ન મળી શકે. સંભવિત અકસ્માતની ઘટના સર્જાય તો ચોપડે બધું ચોખ્ખું કરવા માટે કદાચ આર્થિક કારોબાર કરીને કાગળિયા કરવામાં આવતા હોવાની વાત અસ્થાને નથી.

આણંદ શહેર, જિલ્લામાં ટ્રાફિકને અડચણરૂપ, આડેધડ પાર્કિગ કે અન્ય વાહનોને કનડગત સહિતની સમસ્યા સર્જતી શટલીયા રિક્ષાઓ સામે બોધપાઠરૂપ કાર્યવાહી ભાગ્યે જ થયાનું જોવા મળે છે. ચર્ચાતી વાતોનુસાર જિલ્લામાં શટલમાં ફરતી રિક્ષાઓ પૈકી અડધાથી વધુ રિક્ષાઓના મૂળ માલિક પોલીસ કર્મચારીઓ જ છે. જેમાં તેઓના રોકાણ દ્વારા અન્ય નામે રિક્ષા ખરીદીને તેને દૈનિક ભાડેથી ફેરવવા માટે આપવામાં આવે છે. પોલીસ કર્મીની રિક્ષાનો ખાસ કોડવર્ડ પણ હોય છે. આથી આવી રિક્ષાઓમાં નિયમ વિરુદ્વ મુસાફરો બેસાડેલા હોય કે રોંગ સાઇડે જતી હોવા છતાંયે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

વર્ષોથી આણંદ શહેરમાં રિક્ષા ચલાવતા ચાલકે જણાવ્યું હતું કે, ૧પ વર્ષ અગાઉ આણંદ શહેરમાં ફરતી રિક્ષાઓમાં ભાડા મીટર ફરજિયાતનું અભિયાન તત્કાલીન પીઆઇએ હાથ ધર્યુ હતું. જેમાં નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરાતા અનેક રિક્ષાચાલકોએ કાઢી નાંખેલા ભાડા મીટર રિક્ષામાં ફીટ કરાવી દીધા હતા. પરંતુ બાદમાં રાજકીય સહિતના દબાણના કારણે અભિયાન પડતું મૂકાયું હતું.

આણંદ જિલ્લા રિક્ષા એસો.ના પ્રમુખ ફિરોજભાઇએ એ વાત સ્વીકારી હતી કે, ભાડા મીટર વગર આરટીઓમાં રિક્ષાનું પાર્સિગ થતું નથી. પરંતુ આણંદ શહેર સહિત જિલ્લામાં ભાડા મીટર મુજબ ભાડાની વસૂલાત કરવામાં આવતી નથી. તેઓએ કહયું હતું કે, આણંદ જેવા નાના શહેરમાં ભાડા મીટર ચાલતા નથી. મુસાફરો મીટર મુજબ નહીં પરંતુ ઉચ્ચક ભાડા મુજબ જ મુસાફરી કરવા ઇચ્છતા હોય છે. મોટાભાગે મીટર મુજબ થતા ભાડાની સરખામણીએ શટલીયામાં ઓછા રુપિયે મુસાફર ગંતવ્ય સ્થળે પહોંચી શકે છે.
આણંદ શહેર ટ્રાફિક વિભાગના અધિકારિક સૂત્રોએ જણાવ્યું હતું કે, રિક્ષાઓમાં ભાડા મીટર હોવું ફરજિયાત છે. પરંતુ હેલ્મેટ, સીટ બેલ્ટ, લાયસન્સ સહિતની ચકાસણી માટે રાજયસ્તરેથી કરાતા નિર્દેશાનુસાર કાર્યવાહી કરવામાં આવે છે. તેમ રિક્ષામાં ભાડા મીટર અંગે સૂચના આપવામાં આવે તો તે માટે પણ કાર્યવાહી થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, આણંદ શહેર-તાલુકાઓમાં ફરતી રિક્ષાઓના ભાડા મીટરની ચકાસણી માટે પોલીસ વિભાગ દ્વારા કયારેય સ્પેશ્યલ ડ્રાઇવ યોજવામાં આવી નથી.

વિદ્યાનગરમાં શાળા,મહાશાળા અને કોલેજોમાં ચરોતરના ગામો,શહેરો સહિત અન્ય જિલ્લામાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસઅર્થ દરરોજ અપડાઉન કરતા હોય છે. જેઓ બસ કે રેલ્વે સ્ટેશનેથી વિદ્યાનગર પહોંચવા માટે શટલીયા રિક્ષાનો ઉપયોગ કરતા હોય છે. કોઇ વાલી આણંદ ઉતરીને વિદ્યાનગર માટે પર્સનલ રિક્ષા કરે ત્યારે ૧રપથી ૧પ૦ રૂ. ભાડુ વસુલવામાં આવે છે. જયારે ૬થી ૭ વિદ્યાર્થી,મુસાફરોને ખીચોખીચ બેસાડીને રૂ.ર૦-ર૦માં શટલીયા રિક્ષા ચાલકો વિદ્યાનગર પહોંચાડે છે.આજ પ્રમાણે નવા બસ મથકેથી જનતા ચોકડી અને બોરસદ ચોકડી ૪ કિ.મી.ના રૂ.૧૦૦ (રૂ.ર૦ શટલદીઠ), ગણેશ ચોકડી ૪ કિ.મી.ના રૂ.૧રપથી ૧પ૦ (શટલ દીઠ રૂ.ર૦) સહિતનું ભાડુ વસૂલવામાં આવે છે. તેમાંયે વહેલી સવારે અને મોડી સાંજ બાદ જે તે સ્થળે પહોંચવા વિવશતા અનુભવતા મુસાફરો પાસેથી રિક્ષાચાલકો બમણા જેટલું ભાડુ વસૂલતા હોવાની ફરિયાદ પણ થવા પામી છે.

Advertisement

રાજય પરિવહન વિભાગના નિયમોનુસાર રિક્ષામાં પુખ્ય વયના ૩ પેસેન્જરોની હેરફેર કરી શકાય છે. પરંતુ આણંદની વિવિધ ચોકડીઓ તેમજ રેલ્વે-બસ સ્ટેશનેથી શટલીયા રિક્ષામાં ૬થી ૭ મુસાફરોને ખીચોખીચ બેસાડીને ભરચક ટ્રાફિક વચ્ચેથી રિક્ષા દોડાવવામાં આવતી હોય છે. આ રિક્ષાઓ વિવિધ ચોકડી વિસ્તારોએ ફરજબદ્વ ટ્રાફિક જવાનોની નજર હેઠળથી પસાર થતી હોવા છતાંયે જયાં સુધી ઉપરથી આદેશ ન આવે ત્યાં સુધી કાર્યવાહી સુદ્વાં કરવામાં આવતી નથી. મોટાભાગના ચોકડી વિસ્તારોમંા શટલીયા રિક્ષાઓ વચ્ચે ઘૂસી જતી હોવાથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હોવાની જાણ છતાંયે ટ્રાફિક જવાનો અગમ્ય કારણોસર કાર્યવાહી કરતા નથી.

સ.પ.યુનિ. સહિત વિદ્યાનગરમાં આવેલ અન્ય શૈક્ષણિક સંસ્થાઓની મહાશાળા, કોલેજોમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે પૈકી અંદાજે ૧રથી ૧પ હજાર વિદ્યાર્થીઓ અન્ય સ્થળેથી દરરોજ અભ્યાસ અર્થ આણંદ ટ્રેન કે બસ મારફતે પહોંચે છે. બાદમંા રેલ્વે-બસ સ્ટેશનેથી શટલીયા રિક્ષામાં જોખમી મુસાફરી કરીને વિદ્યાનગર પહોંચતા હોય છે. ત્યારે વિદ્યાર્થીહિતલક્ષી બાબતોને ધ્યાને લઇને દાતાઓ દ્વારા દાન એકત્ર કરીને સ.પ.યુનિ. કે અન્ય મોટી શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓને દરરોજ આણંદથી વિદ્યાનગર અવરજવર માટે વ્યાજબી ભાડાની બસ કે અન્ય વાહન સેવા ઉપલબ્ધ કરાવવી જોઇએ. આ શકય બને તો વિદ્યાર્થીઓને દરરોજ રિક્ષામાં ઘેટાં-બકરાંની જેમ મુસાફરી કરવાની પરેશાનીમાંથી મુકિત મળવા સાથે માસિક મુસાફરી ખર્ચમાં પણ ખાસ્સી બચત થઇ શકે.











Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement