Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

બાળકોમાં કુપોષણના લક્ષણ જણાય તો નજીકના આંગણવાડી કેન્દ્રમાં સંપર્ક કરવા અપીલ

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે રીપોર્ટ (એનએફએચએસ-પ) ના સર્વે મુજબ, ખેડા જિલ્લામાં અતિગંભીર કુપોષિત બાળકોનું પ્રમાણ વધુ હોવાથી પોષણ સ્તરની આ પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લામાં કુપોષણ મુક્ત કરવા માટેની પહેલ કરવામાં આવી છે.

ગળતેશ્વર, ઠાસરા અને મહુધા તાલુકામાં અન્ય તાલુકાની સાપેક્ષમાં અતિકુપોષિત (જીછસ્) બાળકોનું પ્રમાણ વધુ જોવા મળતાં ઉક્ત ત્રણ તાલુકામાં પાઇલોટ પ્રોજેક્ટની શરૃઆત સપ્ટેમ્બર,૨૦૨૩ થી કરવામાં આવી છે. જેમાં કુલ ૧૫૦ માંથી ૧૪૦ થી વધુ બાળકોને કુપોષણમાંથી બહાર લાવવામાં સફળતા મળી.

પાઈલોટ પ્રોજેક્ટમાં મળેલ સફળતાને ધ્યાનમાં રાખીને ખેડા જિલ્લાના તમામ ૧૦ તાલુકામાં ૧૪૦ થી પણ વધુ આંગણવાડી કેન્દ્રો મારફતે ૫૦૦ થી વધુ અતિકૂપોષિત બાળકોને આવરી લઈ કુપોષણ મુક્ત ખેડા પ્રોજેક્ટનું અમલીકરણ ડીસેમ્બર-૨૦૨૩ માં કરવામાં આવ્યું જેમાં કુલ ૪૮૦ થી પણ વધુ બાળકો અતિકુપોષણમાંથી બહાર આવ્યા છે. પાઇલોટ પ્રોજેક્ટ તથા પ્રથમ તબક્કાની સફળતાને ધ્યાને લઇ ખેડા જિલ્લાનાં ૩૧૬ ગામનાં ૫૧૬ આંગણવાડી કેન્દ્રોના ૧૦૦૦ બાળકોને નિયત કરી ૫ ઓગષ્ટ, ૨૦૨૪ થી કુપોષણ મુક્ત ખેડા પ્રોજેક્ટના બીજા તબક્કાની શરૃઆત કરવામાં આવી છે. જેમાં કુલ ૯૯૦ થી વધુ બાળકો અતિકુપોષણમાંથી બહાર આવ્યા છે. ત્યારે જિલ્લાનાં વાલીઓને પણ અનુરોધ કરવામાં આવ્યો છે કે જો તેમના બાળકમાં કુપોષણના કોઈ લક્ષણ જણાય તો નજીકની આંગણવાડીનો સંપર્ક કરવો.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement