આણંદ જિલ્લાના કોચીંગ કલાસ તથા ટ્યુશન કલાસ સવારના 7 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે
અર્બન ગુજરાત |આણંદ આણંદ જિલ્લામાં આવેલ તમામ કોચિંગ કલાસ તથા ટ્યુશન કલાસીસમાં જતી વિદ્યાર્થીનીઓ શાંતિ અને નિર્ભય થઈને ટ્યુશન કલાસીસમાં કે કોચીંગ કલાસમાં જઈ શકે તે માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તથા વિદ્યાર્થિનીઓ સાથે અનિષ્ટ તત્વો દ્વારા ટ્યુશન કલાસીસ કે કોચીંગ કલાસમાં એકલી જતી વિદ્યાર્થીનીવન હેરાન ન કરે તથા તેમની સાથે કોઈ અનિચ્છનિય બનાવો ન બને અને આવા બનાવ અટકાવવા જિલ્લામાં આવેલ તમામ કોચીંગ કલાસ તથા ટ્યુશન કલાસીસના સમયમાં ફેરફાર કરાયો છે.
જે અંગે સવારના 7 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા પછીના સમય માટે મનાઈ ફરમાવતુ જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રે દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ હુકમ તા. ૦૮/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે તથા તેનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ અન્વયે શિક્ષાને પાત્ર થશે.