આણંદ જિલ્લામાં નવા મહેસૂલી ભવન માટે ૧૯ કરોડની ફાળવણી
આણંદ શહેરની વસતિ અને વ્યાપ વધવાની સાથોસાથ અગાઉના સમયમાં શહેરની મધ્યમાં કાર્યરત મોટાભાગની સરકારી કચેરીઓને સમયાંતરે અન્ય ખુલ્લી જગ્યાઓએ સ્થળાંતર કરવામાં આવી છે. જેમાં આણંદ જિલ્લા પંચાયત, કલેકટર કચેરી, આરટીઓ કચેરી વગેરેનો સમાવેશ થાય છે.
જો કે કલેકટર કચેરીમાં કાર્યરત મામલતદાર શહેર અને ગ્રામ્ય તેમજ પ્રાંત કચેરીમાં વિવિધ કામસર અરજદારોની વધતી સંખ્યા અને ભવિષ્યના આયોજનોને ધ્યાને લઇને આ ત્રણેય કચેરીઓ અને તેને સંલગj વિભાગો માટે અલગ મહેસૂલ ભવન બનાવવાનું બે વર્ષ અગાઉ આયોજન કરાયુ ંહતું.
જેના ભાગરુપે આણંદ-સોજીત્રા રોડ ઉપર ઇવીએમ વેરહાઉસની બાજુમાં આવેલ સરકારી જમીનમાં ૮૬૦૦ ચો.મી. જગ્યામાં મહેસૂલ ભવન ઉભું કરવાની સરકારમાંથી મંજૂરી મળી હતી. આશરે ૧ર.૭૬ કરોડના ખર્ચ તૈયાર થનાર મહેસૂલ ભવનની ૬૦ ટકા ઉપરાંતની કામગીરી પૂર્ણ થયાનું જાણવા મળે છે. જયારે બાકીની કામગીરી આ વર્ષના ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળે છે. નવીન મહેસૂલ ભવનને એ અને બી એમ બે બ્લોકમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે. બંને બ્લોકમાં ભોેંયતળિયા ઉપરાંત બે માળ બનશે. જેમાં મામલતદાર શહેર અને ગ્રામ્યની કચેરીઓ સહિત તેને સંલગj ઇ-ધરા સહિતના વિભાગો પણ અહીં ખસેડવામાં આવશે. આ ઉપરાંત પ્રાંત અધિકારી, આણંદની કચેરી અને તેની સાથે સંકળાયેલ અન્ય વિભાગોની કચેરીઓ પણ આ નવીન બિલ્ડીંગમાં લાવવામાં આવશે. બંને બ્લોકમાં લીફટ, કોન્ફરન્સ હોલ, પાર્કિગ, ફાયર સેફટી, લેન્ડ સ્કેપીગ, રેઇન વોટર હાર્વસ્ટીંગ સહિતની આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. મહેસૂલ ભવનના પ્રથમ તબકકાની કામગીરીમાં અંદાજે ૧ર.૭૬ કરોડના ખર્ચ બે માળનું સુવિધાઓ સાથેનું બિલ્ડીંગ ઉભું કરવામાં આવશે.ત્યારબાદ આશરે ૬ કરોડ ઉપરાંતના ખર્ચ તમામ કચેરીઓ ફર્નિચરની કામગીરી કરવામાં આવનાર છે. આમ, અંદાજે ૧૯ કરોડના ખર્ચ બનનાર સંપૂર્ણ સુવિધા સાથેનું બિલ્ડીંગ ડિસેમ્બર,ર૦રપના અંત સુધીમાં લોકાર્પણ કરવામાં આવનાર હોવાનું આયોજન થઇ રહ્યાનું જાણવા મળે છે.