Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

વડોદરા: ખાણ-ખનિજ વિભાગના કલાર્કે ર લાખની લાંચ લેતા ઝડપાયા, બે વધુ વોન્ટેડ

વડોદરા: ખાણ-ખનિજ વિભાગના કલાર્કે ર લાખની લાંચ લેતા ઝડપાયા, બે વધુ વોન્ટેડ

ખાણ-ખનિજ વિભાગમાં ભ્રષ્ટાચાર ફૂલીફાલી રહ્યાની ઘટનાઓ વારંવાર ઉજાગર થવા પામે છે. પરંતુ ભ્રષ્ટાચારીઓ સામે બોધપાઠરૂપ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી આ દૂષણ ખદબદતું રહ્યું છે. તેમાંયે એક જિલ્લામાં ફરજ બજાવતા ખાણ-ખનિજ વિભાગના કર્મચારી-અધિકારીની અન્ય જિલ્લામાં બદલી કે ઇન્ચાર્જપદે નિયુકિત થાય ત્યારે ત્યાં પણ સામાન્ય અરજી સહિતની પ્રકિયામાં ઉપરની કમાણી કરવામાં આવતી હોય છે. વડોદરામાં ખાણ ખનિજ વિભાગના કલાર્કને રેતી સ્ટોકની પરવાનગી માટેની અરજી મંજૂર કરવા માટે અરજદાર પાસેથી બે લાખની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપ્યો છે. આ લાંચ કાંડમાં ખાણ-ખનિજ વિભાગના અન્ય ૩ કર્મચારી-અધિકારીની પણ સામેલગીરી હોવાનું એસીબીની તપાસમાં ઉજાગર થયુ ંહતું. જેથી બે વ્યકિતઓની અટકાયત અને આણંદના ભૂસ્તરશાસ્ત્રી સહિત બે કર્મચારીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.

મળતી વિગતોમાં વડોદરામાં કુબેર ભવનમાં આવેલ ખાણ-ખનિજ વિભાગની કચેરી ખાતે રેતીનો સ્ટોક કરવા માટે અરજદારે ઓનલાઇન અરજી કરી હતી. ત્યારબાદ અરજી અંગે તેઓ ખાણ-ખનિજ કચેરીના સિનિયર કલાર્ક યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલને મળ્યા હતા. જેમાં યુવરાજસિંહે અરજી મંજૂર કરવા કચેરીના તમામ સ્ટાફના વ્યવહારપેટે રૂ. ર લાખની લાંચની માંગણી કરી હતી. જો કે અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી ત્યાંથી નીકળી જઇને એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

ફરિયાદના આધારે વડોદરા એસીબીના મ.નિયામક પરેશ ભેંસાણીયાના માર્ગદર્શન હેઠળ રાજપીપળા એસીબી પીઆઇ વસાવા સહિતની ટીમે ગતરોજ લાંચના છટકાનું આયોજન કર્યુ હતું. જેમાં અરજદારને લાંચની રકમ આપવા માટે યુવરાજસિંહે બાપ્સ હોસ્પિટલ, વડોદરા ખાતે બોલાવ્યો હતો. જયાં ફરિયાદી પહોંચતા તેની સાથે અરજીની વાતચીત કરવા દરમયાન લાંચની માંગણી કરીને સ્વીકારતા પંચોની હાજરીમાં રંગે હાથ ઝડપાયો હતો. જો કે લાંચની રકમ આવ્યા બાદ યુવરાજસિંહે ર લાખ આવી ગયાની અન્ય અધિકારી,કર્મચારીઓને જાણ કરી હતી. જેથી એસીબીએ લાંચ લેવાના ગુનામાં અન્ય ત્રણ સામે પણ ગૂનો દાખલ કર્યો હતો. જેમાં યુવરાજસિંહ સહિત કિરણ પરમાર (આઇટી એકઝી.)ની અટકાયત કરીને રિમાન્ડ માટે રજૂ કરવાની પ્રકિયા હાથ ધરી હતી. સાથોસાથ બંનેના ઘરે તપાસ પણ હાથ ધરવામાં આવી છે. જયારે ઇન્ચાર્જ અધિકારી રવિ કમલેશભાઇ મિસ્ત્રી (મદદનીશ ભુસ્તર શાસ્ત્રી,આણંદ) અને રોયલ્ટી ઇન્સ્પેકટર સંકેત પટેલને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લાંચ કેસમાં સંડોવાયેલા આરોપીઓ
(૧) યુવરાજસિંહ ગોહિલ, સિનિ.કલાર્ક વર્ગ-૩, ખાણ-ખનિજ વિભાગ, વડોદરા (રહે. અટલાદરા,વડોદરા) (ર) રવિ કમલેશભાઇ મિસ્ત્રી, મદદનીશ ભુસ્તર શાસ્ત્રી(ખાણ ખનિજ વિભાગ, આણંદ વર્ગ-ર) (રહે.બાપુનગર,અમદાવાદ) (૩) કિરણ કાન્તિભાઇ પરમાર, આઇ.ટી.એકિઝ. વર્ગ-૩, ખાણ-ખનિજ વિભાગ,વડોદરા (રહે. વડોદરા) (૪) સંકેત પટેલ, રોયલ્ટી ઇન્સ્પેકટર વર્ગ-૩, ખાણ-ખનિજ વિભાગ, વડોદરા (રહે. ડાકોર)


Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement