Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

બનાવટી અનુભવના સર્ટિફિકેટ આપનાર મહિલા વિદ્યાનગરમાં ઝડપાઈ

બનાવટી અનુભવના સર્ટિફિકેટ આપનાર મહિલા વિદ્યાનગરમાં ઝડપાઈ

સને ૨૦૨૩માં વિદ્યાનગર ખાતે આવેલ નાઈસ કોમ્પ્યુટર એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટના નામે માતબર રકમ લઈને વિઝા અને નોકરીના કામે અનુભવના બનાવટી સર્ટીફીકેટો આપવાના ગુનામાં સંડોવાયેલા મહિલાને લંડનથી પરત ફરતા જ વિદ્યાનગર પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરીને ૪ દિવસના રીમાન્ડ મેળવ્યા છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી પ્રણવભાઈ પ્રવિણભાઈ પટેલ સને ૨૦૦૬મા સુપર માર્કેટ કોમ્પલેક્ષ ખાતે જાસ્મીનભાઈ સુર્યકાંતભાઈ પટેલ દ્વારા ચલાવવામાં આવતી નાઈસ કોમ્પ્યુટર એજ્યુકેશન નામની ઈન્સ્ટીટ્યુટમાં પાર્ટનર તરીકે જોડાયા હતા.ત્યારબાદ ૨૦૦૭માં જાસ્મીનભાઈ પાસેથી આ ઈન્સ્ટીટ્યુટ ખરીદી લઈને વહિવટ કરવાનું ચાલુ કર્યું હતુ. ૨૦૧૯માં પેરા મેડીકલ કોર્સ ચાલુ કરતા તારીખ ૧-૬-૨૦૧૯થી જનની થંબીદુરાઈ યાદવ (રે. મુળ તામિલનાડુ, હાલ કરમસદ)ને માસિક ૭ હજાર પગાર અને ફી પેટે જે રકમ આવે તેના દશ ટકા કમીશન નક્કી કરીને નોકરી ઉપર રાખ્યા હતા. તેમના નામનું કરન્ટ એકાઉન્ટ ખોલાવીને નાણાં તેમા જમા કરવામાં આવતાં હતા. સને ૨૦૧૯-૨૦માં તેઓનું કામકાજ અને હિસાબ બરાબર હોય તેમના પર વિશ્વાસ બેઠો હતો.ત્યારબાદ ૧૨-૮-૨૦થી પેરા મેડીકલ સાથે ચાલતા કોમ્પ્યુટર પોગ્રામ અને હોટલ મેનેજમેન્ટ પોગ્રામના ઈન્ચાર્જ જનની યાદવને બનાવીને નફાના ૫૦ ટકા ભાગઆપવાનું નક્કી કર્યું હતુ.

પ્રવણભાઈએ ધ્યાન આપવાનું ઓછુ કરી નાંખ્યું હતુ અને તેમાંય કોવિડને કારણે હિસાબ ઉપર પણ ધ્યાન આપતા નહોતા અને જનની યાદવના ભરોસે બધુ ચાલતુ હતુ.૧૫-૧૨-૨૦ના રોજ હિસાબ કરતા બેવર્ષનો કુલ નફો ૩૫ લાખ હતો. જનની યાદવ, તેની બહેન વિનિતા યાદવ, શૈલેન પટેલ અને ઉમેશ ગોહેલની હાજરીમા નફાના ૧૭.૫૦ લાખમાંથી ૧૫ લાખ આપવાનું બધાની વચ્ચે નક્કી થયું હતુ. ત્યારબાદ બે ત્રણ દિવસ બાદ પ્રણવભાઈને ખબર પડી હતી કે, જનની યાદવે નાઈસ ઈન્સ્ટીટ્યુટમાં અભ્યાસ ના કર્યા હોય, તેમજ તેમની કંપનીમાં નોકરી ના કરી હોવા છતાં તેવા વ્યક્તિઓને ખોટા અને બોગસ સર્ટીફીકેટો નાઈસ ઈન્સ્ટીટ્યુટના નામે બનાવી આપ્યા હતા. કંપનીના અનુભવના સર્ટીફીકેટો બનાવીને ઘણા વ્યક્તિઓને વિઝા તેમજ નોકરીના કામ માટે આપ્યાનું અને તે પેટે મોટી રકમો લીઘાનું પણ ખુલવા પામ્યું હતુ. જેથી પ્રણવભાઈએ વિદ્યાનગર પોલીસ મથકે આવીને જનની યાદવ વિરૂધ્ધ તારીખ ૭-૧૨-૨૩ના રોજ ફરિયાદ આપી હતી. પોલીસે ગુનો દાખલ કરીને તેની તપાસ હાથ ઘરી હતી. જેમાં તેણી લંડન ભાગી ગઈ હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી તેના વિરૂદ્ઘ લુક આઉટ નોટિસ ઈસ્યુ કરવામાં આવી હતી. દરમ્યાન જનની યાદવ લંડનથી અમદાવાદના એરપોર્ટ ઉપર પરત ફરતા જ ઈમીગ્રેશન વિભાગ દ્વારા તેણીને ડીટેઈન કરીને વિદ્યાનગર પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને જનની યાદવને અટકાયતમાં લઈને વિદ્યાનગર પોલીસ મથકે લઈ આવ્યા હતા. જ્યાં તેની વિધિવત ધરપકડ કરીને ૪ દિનના રિમાન્ડ પર મેળવાઈ હતી.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement