Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

આણંદ: સ્કૂલો LC આપવા તૈયાર નહીં, માર્કશીટ વિના વિદ્યાર્થીઓ અકળાયા

આણંદ: સ્કૂલો LC આપવા તૈયાર નહીં, માર્કશીટ વિના વિદ્યાર્થીઓ અકળાયા

વિવિધ ફેકલ્ટીની કોલેજમાં એડમિશન મેળવવા ફોર્મ ભરવા માટે રાજય સરકારે જી-કાસ પોર્ટલની શરુઆત કરીને ફોર્મ ભરવાની ૧૮ મે,ર૦રપ સુધીનો સમય આપ્યો છે. પરંતુ ધો.૧રની માર્કશીટ હજી સુધી શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવી નથી. જેના પગલે સ્કૂલોએ વિદ્યાર્થીઓને એલ.સી.પણ આપ્યા નથી. જી-કાસ પોર્ટલમાં રજીસ્ટ્રેશન માટે એલ.સી.ની જરુરિયાત હોય છે. જેથી વિદ્યાર્થીઓને પોતાના વિષયમાં કોલેજ એડમિશન માટે ઓનલાઇન ફોર્મ ભરવામાં મૂંઝવણભરી સ્થિતિ ઉભી થઇ છે.

રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોમન એડમિશન પ્રકિયા માટે જી-કાસ પોર્ટલ ત્રણેક દિવસથી, ૯ મે,ર૦રપથી શરુ કરાયું છે. જો કે તેનો યોગ્ય પ્રચાર કરાયો ન હોવાથી હજી સુધી અનેકો વિદ્યાર્થીઓને પોર્ટલ શરુ થયા વિશેની જાણકારી ન હોવાનું જાણવા મળે છે. ૯ મેથી શરુ કરાયેલ પોર્ટલ ૧૮ મે સુધી ઓનલાઇન રહેશે. મતલબ કે શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટે માત્ર ૧૦ દિવસનો જ સમય આપવામાં આવ્યો છે.

ધો.૧ર પાસ કર્યા બાદ કોલેજમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને જી-કાસ પોર્ટલ પર ફોર્મ ભરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો ના હોવાના પગલે વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧ર સામાન્ય અને સાયન્સ પ્રવાહના પરિણામો જાહેર કરી દેવાયા છે. પરંતુ હજી સુધી ધો.૧રની માર્કશીટ આપવામાં આવી નથી. વગર માર્કશીટે સ્કૂલો એલ.સી. કાઢી આપતી ન હોવાનું ચિત્ર ઉદ્દભવ્યું છે. જી-કાસ પોર્ટલ પર માર્કશીટની સાથે એલ.સી. પણ અપલોડ કરવાની હોય છે. જેથી વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ અસમંજસભરી સ્થિતિમાં મૂકાયા છે.

ગત વર્ષ જી-કાસ પોર્ટલમાં સર્જાયેલા છબરડાંથી વિવાદ થયો હતો
ગત વર્ષ કોમન એડમીશન પ્રકિયા હેઠળ જી-કાસ પોર્ટલની પ્રવેશ પ્રકિયા શરુ કરવામાં આવી હતી. તે સમયે પોર્ટલમાં વારંવાર સર્જાતી સમસ્યા સહિતના કારણોસર ભારે વિવાદ સર્જાયો હતો. અનેકો વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ પરેશાનીભરી સ્થિતિનો સામનો કરવો પડયો હતો. સરકારમાં આ મામલે રજૂઆતો છતાંયે પ્રકિયા સમયસર પૂરી કરવામાં આવી નહતી. જેના કારણે અનેકો વિદ્યાર્થીઓએ ખાનગી કોલેજોમાં પ્રવેશ મેળવવાનો વારો આવ્યો હતો.

આવતીકાલ સુધીમાં ધો.૧ર સાયન્સની માર્કશીટ વિતરણની સંભાવના, કોમર્સની તારીખ હવે જાહેર થશે : શિક્ષણાધિકારી
આણંદ જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદીના જણાવ્યાનુસાર ધો.૧ર વિજ્ઞાન પ્રવાહની માર્કશીટનું આવતીકાલથી વિતરણ થવાની સંભાવના છે. જયારે ધો.૧ર કોમર્સ પ્રવાહની માર્કશીટ વિતરણની તારીખ હજી જાહેર કરવામાં આવી નથી. જે આવ્યેથી સંબંધિત શાળાઓને સૂચના આપવા સાથે માર્કશીટ પહોંચાડવાનું આયોજન હાથ ધરાશે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement