Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

ભાલ પંથક માટે આશાનો તળાવ: 53 કરોડના ખર્ચે કનેવાળ તળાવનું રિનોવેશન ચાલુ

ભાલ પંથક માટે આશાનો તળાવ: 53 કરોડના ખર્ચે કનેવાળ તળાવનું રિનોવેશન ચાલુ

ભાલ પંથકની પ્રજાને પીવાનું પાણી મળી રહે અને દુષ્કાળમાં લોકોને રોજગારી મળી રહે તે આશયથી અંગ્રેજોના સમયમાં ખોદાયેલ કનેવાળ તળાવનું હાલમાં રિનોવેશન કામ ચાલી રહ્યું છે. જેના કારણે તળાવમાં માંડ ૨૦ થી ૨૫ ક્યુરોઠ પાણી નાખવામાં આવે છે. રૂપિયા ૫૩ કરોડના ખર્ચ થનાર આ રીનોવેશનના કામ બાદ તળાવની પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં ઘણો બધો વધારો થશે.

વલ્લી, ઈસનપુર, રેલ, વરસડા, પાદરા, ખાખસટ વગેરે ગામોની મધ્યમાં આવેલ કનેવાળ તળાવ ખંભાત અને તારાપુર તાલુકાના ગામોને પીવાનું પાણી પુરુ પાડે છે. આ તળાવ આધારીત જૂથ પાણી પુરવઠા યોજના કાર્યરત છે તેના થકી તારાપુર અને ખંભાત શહેર તથા તાલુકાના ગામોમાં પીવાનું મીઠું પાણી પુરુ પાડવામાં આવે છે.

સ્થાનિક વયોવૃધ્ધ વ્યક્તિઓના જણાવ્યા મુજબ ૬ થી ૭ ગામની સરહદને અડીને દુષ્કાળના સમયમાં અંગ્રેજોએ ચલાવેલ રાહત કામ થી આ તળાવ અસ્તિત્વમાં આવેલ અને તળાવમાં વિપુલ પ્રમાણમાં પાણીનો સંગ્રહ થતાં ખેડૂતો ખેતી માટે અને આજુ બાજુના ગામોના લોકો પીવા માટે પાણીનો ઉપયોગ કરતા હતાં. તળાવમાં ઉનાળાની ઋતુમાં નહેર મારફતે પાણી ભરવામાં આવતું હતું. જેના કારણે તળાવ બારેમાસ છલ્લો છલ ભરાયેલુ રહેતુ હતું. જેથી તળાવમાં ભરાયેલ કાંપ કાઢી તળાવને ઉડુ કરવાની કામગીરી થઈ શકતી ન હોતી પરંતુ આ વર્ષ તળાવને ઉડ્ડÆં કરવા અને તળાવને ફરતે પાકી સંરક્ષણ દિવાલ બનાવવા માટે રૂપિયા ૫૩ કરોડ ફાળવાતા તળાવનું રીનોવેશનનું કામ તળાવને ખાલી કરી શરૂ કરાયું છે તળાવમાંથી કાંપ કાઢવાનું કામ પણ ચાલી રહ્યું છે. જેના કારણે તળાવની પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થશે. જેનો લાભ ખંભાત અને તારાપુર તાલુકાની પ્રજાને મળશે.

Advertisement

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement