બોરસદમાં 4.5 કરોડના તળાવ બ્યુટિફિકેશનનું પાણી પાણી થયું
બોરસદ શહેરના તોરણાવ માતા તળાવનું ચાર માસ અગાઉ રૂ 4.5 કરોડના ખર્ચે બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે ચાર દિવસ પડેલા ભારે વરસાદમાંતળાવની ચારે બાજુથી માટીનું ધોવાણ થઈનેે ઊંડા ખાડાઓ પડી જતાં કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યાં છે. બોરસદ શહેરમાં આવેલા તોરણાવ માતા તળાવનું બ્યુટિફિકેશનનું કામ સંદર્ભે ટેન્ડર બહાર પાડતાં હિરપરા નામના કોન્ટ્રાક્ટરને રૂપિયા 4.5 કરોડના ખર્ચથી તળાવના બ્યુટિફિકેશનું કામ સોંપવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા તળાવમાં ખોદાણ કરીને વોક-વે તથા તળાવને ચારે બાજુ માટી મેટલ કામ સહિતનું કામ સોંપવામાં આવ્યું હતું. હાલ, તળાવનું બ્યુટિફિકેશનનું કામ શરૂ થઈ ગયું છે ત્યારે ચાર દિવસ અગાઉ થયેલા વરસાદને કારણે બ્યુટિફિકેશનના કામમાં વિક્ષેપ પડયો હતો. અને વરસાદી પાણી તળાવમાં ઘસી જતાં આવતા તળાવની ચારે બાજુ માટીનું ધોવાણ થયું હતું. તેમજ તળાવમાં બનાવેલા આરસીસીની આડાશો પણ તૂટી જવા પામી હતી. અને વોકવે ઉપર પણ તિરાડો પડી ગઈ હતી. સામાન્ય વરસાદમાં જો તળાવમાં આટલું બધું ભંગાણ સર્જાતું હોય તો, ચોમાસામાં ભારે વરસાદમાં બ્યુટિફિકેશન પાછળ કરેલ ખર્ચ ધોવાઇ જતાં ભારે નુકશાન થવા પામ્યું છે. હાલ વરસાદને કારણે તળાવની ચારેબાજથી દિવાલો બનાવી ન હોવાથી ઊંડા ખાડાઓ પડી ગયા છે