Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

પોલીસ-આરટીઓ વિભાગના કેમેરા ઘણા સ્થળે બંધ કે ખોટી દિશામાં

પોલીસ-આરટીઓ વિભાગના કેમેરા ઘણા સ્થળે બંધ કે ખોટી દિશામાં

જાહેર માર્ગો પરથી અવરજવર કરતા વાહનો દ્વારા ટ્રાફિક સહિતના નિયમોનો ભંગ થતો રોકવા, શંકાસ્પદ વાહનની અવરજવર ચકાસવા માટે પોલીસ-આરટીઓ વિભાગ દ્વારા સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે. પરંતુ મોટાભાગના સ્થળોએ આ કેમેરા ગોઠવ્યા બાદ તે યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે કેમ, કોઇ ક્ષતિ થવા સહિત કેમેરાની દિશા ફરી ગઇ હોય તો પુન: યોગ્ય રીતે ગોઠવવા મામલે ઝડપી કામગીરી ન થઇ રહ્યાનું પણ જોવા મળે છે.

બાકરોલ ગેટથી આણંદ તરફના માર્ગ પર તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પરંતુ આ કેમેરા માર્ગ પરથી અવરજવર કરતા વાહનો પર દૃષ્ટિ રાખવાના બદલે રસ્તાની સામેની તરફે આવેલ કોમ્પલેક્ષના પાર્કિગ તરફે જ સતત ધ્યાન આપી રહ્યાની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસથી કેમેરા મૂળ સ્થાને ફરી ગયા હોવા છતાંયે તે અંગે કદાચ જવાબદાર વિભાગમાં જાણ થઇ નથી! જો કે આ રસ્તેથી પસાર થતા શહેરીજનો કેમેરાની વાંકી નજર જોઇને મનોમન હાસ્ય ફરકાવી રહ્યા છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement