શ્રીકષ્ટભંજનદેવ દાદાને શ્રીલંકાથી મંગાવેલા ફૂલોનો દિવ્ય શણગાર
સાળંગપુર શ્રીકષ્ટંભજન દેવ હનુમાનજીને ૨૦૦ કિલો સેવંતીના મીક્સ ફૂલોનો શણગાર, ૧૦૦૮ કીલો પુષ્પોથી કષ્ટભંજનદેવને પુષ્પવર્ષા, ૧૦૦૮ કીલો સુખડીનો ભોગ ધરાવાયો છે તેમજ ૧૦૦૮ મંત્રોચ્ચારથી દાદાનું ભવ્ય પૂજન કરાયું છે, પવિત્ર બ્રાહ્મણો દ્વારા એવં હરિપ્રકાશદાસજી સ્વામીના હસ્તે ભવ્ય એવં દિવ્ય રાજોપચાર પૂજન સંપન્ન થયું છે.
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.11-04-2025ને શુક્રવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને શ્રીલંકાથી મંગાવેલ 700 પીસના ફૂલોથી -સેવંતીના મીક્સ ફુલોનો દિવ્ય શણગાર કરાયો હતો.આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાના સિંહાસને આજે સેવંતીના રંગબેરંગી ફૂલનો શણગાર કરાયો છે.
સવારે 7:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, ૨૦૦ કિલો સેવંતીના મીક્સ ફૂલનો શણગાર, ૧૦૦૮ કીલો પુષ્પોથી કષ્ટભંજનદેવને પુષ્પવર્ષા, ૧૦૦૮ કીલો સુખડીનો ભોગ ધરાવાયો, ૧૦૦૮ મંત્રોચ્ચારથી દાદાનું ભવ્ય પૂજન, પવિત્ર બ્રાહ્મણો દ્વારા એવં શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના હસ્તે ભવ્ય એવં દિવ્ય રાજોપચાર પૂજન સંપન્ન થયું હતું. દાદાની દિવ્ય આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
પૂજારી સ્વામી જણાવ્યું હતું કે દાદા સિંહાસનને શ્રીલંકાથી મંગાવેલ 700 પીસના ફુલોથી શણગારવામાં આવ્યું હતું તેમજ થાઈલેન્ડથી દાદા માટે ફૂલોનો હાર મંગાવવામાં આવ્યો હતો. ૨૦૦ કિલો સેવંતીના મીક્સ ફુલનો શણગાર, ૧૦૦૮ કીલો પુષ્પોથી કષ્ટભંજનદેવને પુષ્પવર્ષા, ૧૦૦૮ કીલો સુખડીનો ભોગ ધરાવાયો, ૧૦૦૮ મંત્રોચ્ચારથી દાદાનું ભવ્ય પૂજન, પવિત્ર બ્રાહ્મણો દ્વારા એવં શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના હસ્તે ભવ્ય એવં દિવ્ય રાજોપચાર પૂજન સંપન્ન થયું હતું.
મહત્વનું છે કે શ્રી સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને રાજોપચાર પૂજા ઘણી વખત કરવામાં આવે છે.ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાનાં ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે, તેથી જ શ્રી સાળંગપુરધામમાં કોઈને કોઈ કારણસર રાજોપચાર પૂજન કરવામાં આવે છે. જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે તેને રાજોપચાર પૂજા કહે છે. શ્રી હનુમાનજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત છે. જેઓ વેદોના રહસ્યો જાણે છે, તેથી જ રાજોપચાર પૂજામાં ચાર વેદના મંત્રો સૌપ્રથમ હનુમાનજી મહારાજને સમર્પિત થાય છે.
ત્યારબાદ પ્રાન્તિક ભાષામાં લખેલા શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો અને ગાનું પણ હૃદયપૂર્વક પાઠ કરવામાં આવે છે.જેમ રાજાને સંગીત અને નૃત્ય ગમે છે, તેવી જ રીતે હનુમાનજી મહારાજની સામે શાસ્ત્રીય સંગીત સહીત વિવિધ સંગીતનાં સાધનો વડે સંગીત રજૂ કરવામાં આવે છે અને નર્તકો પણ નૃત્ય કરીને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરે છે.વિવિધ વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નિરાજન પણ હનુમાનજી મહારાજને સમર્પિત છે.100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ સાથે શ્રી હનુમાનજી મહારાજના ફૂલની વર્ષા પણ જોવાલાયક બની જાય છે. આ રીતે રાજોપહાર પૂજા આવતા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.રાજોપચારપૂજન પવિત્ર તહેવારો, તિથી કે ઉત્સવ દરમ્યાન ઉજવવામાં આવે છે.ઘણી વખત ભક્તોના સંકલ્પ પ્રમાણે અનુકુળ તારીખોમાં પણ આ રાજોપચાર પૂજન કરવામાં આવે છે.