Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

ચરોતરમાં આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન ખાતાની આગાહી

ચરોતરમાં આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન ખાતાની આગાહી

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી દરિયાઇ પટ્ટી પર સિસ્ટમ સક્રિય થઇ છે. જેના પગલે મધ્ય ગુજરાત સહિત ચરોતરમાં વાદળછાયા વાતાવરણ શનિવાર સાંજથી છવાઇ ગયું છે. રવિવારે સવારે 9 વાગ્યા સુધી વાદળોનો ઘેરો યથાવત રહ્યો હતો. ત્યારબાદ સૂર્ય પ્રકાશવા લાગ્યો હતો. આજે હવામા ભેજનું પ્રમાણ 90 ટકા હતું. જેના કારણે મહત્તમ તાપમાન ઓછું હોવા છતાં આજે બાળી નાખે તેવો તાપ અનુભવાઇ રહ્યો હતો.

2 દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે. જેનાથી શાકભાજીના પાકમાં જીવાતોનો ઉપદ્રવ વધવાની શકયતા છે. જો કે બે દિવસ બાદ વાદળ હટતાં જ ગરમી 2 થી 3 ડિગ્રી વધશે. આણંદ કૃષિ યુનિના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આણંદ શહેરનું મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement