Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

ભારતીય નૌસેનાએ દેખાડી પોતાની તાકાત : અરબ સાગરમાં મિસાઈલ પરીક્ષણ

ભારતીય નૌસેનાએ દેખાડી પોતાની તાકાત : અરબ સાગરમાં મિસાઈલ પરીક્ષણ

ભારતીય નૌકાદના યુદ્ઘ જહાજોએ અનેક સફળ એન્ટિ-શિપ મિસાઇલ ફાયરિંગ કર્યા છે. નૌકાદળના પ્રવકતાએ ટિવટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, આ ગોળીબાર લાંબા અંતરના ચોક્સાઇપૂર્વકના હૂમલા માટે પ્લેટફોર્મ, સિસ્ટમ અને ક્રૂની ઓપરેશનલ તૈયારીની પુષ્ટિ કરે છે. તેનો ઉદેશ્ય નૌકાદળની યુદ્ઘ સજ્જતાઅને ભારતના દરિયાઇ હિતોનું રક્ષણ કરવાની ક્ષમતા દર્શાવવાનો હતો. આ યુદ્ઘ જહાજોને અરબી સમુદ્રમાં તૈનાત કરવામાં આવ્યા હતા. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ભારતીય નૌકાદળના જહાજાએ સફળતાપૂર્વક અનેક એન્ટિ-શિપ ફાયરિંગ કર્યુ. આમ, લાંબા અંતરની ચોક્કસાઇવાળા આક્રમક હૂમલા માટે પ્લેટફોર્મ, સિસ્ટમ અને ક્રૂની તૈયારીની પુષ્ટિ કરવામાં આવી હતી. નેવી ગમે ત્યારે, ગમે ત્યાંથી, કોઇપણ રીતે ભવિષ્યમાં રાષ્ટ્રના દરિયાઇ હિતોની રક્ષા કરવા માટે તૈયાર છે.

આ પહેલા, ભારતીય નૌકાદળના મિસાઇલ વિનાશક ‘આઈએનએસ સુરત’એ મધ્યમ અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરનારી મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ મિસાઇલની રેન્જ લગભગ ૭૦ કિમી છે. નેવીએ કહ્યું કે ભારતીય નૌકાદળના અદ્યતન સ્વદેશી મિસાઇલ વિનાશક ‘આઇએનએસ સુરત’ એ સમુદ્ર સ્થિત લ-ય પર સફળતાપૂર્વક સચોટ હૂમલો કર્યો, જે નૌકાદળની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ સિદ્ઘિ સ્વદેશી યુદ્ઘ જહાજની ડિઝાઇન, વિકાસ અને કામગીરીમાં ભારતની વધતી જતી તાકાત દર્શાવે છે.સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે રાષ્ટ્રની પ્રતિબદ્ઘતાને રેખાંકિત કરે છે. નૌકાદળે કહ્યું કે આ સીમાચિહ્ન રાષ્ટ્રના દરિયાઇ હિતોની રક્ષા માટે દળની અતૂટ પ્રતિબદ્ઘતનો પુરાવો છે.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ૨૨ એપ્રિલે થયેલા આતંકવાદી હૂમલાઓ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ હૂમલામાં ૨૬ લોકો માર્યા યા હતા, જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચ તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો. આતંકવાદીઓએ પ્રવાસન સ્થળોને નિશાન બનાવ્યા જયાં નાગરિકોની ભારે ભીડ હતી. આ ઘટના બાદ સુરક્ષા દળો હાઇ એલર્ટ પર છે. હૂમલા બાદ ભારતીય સેનાએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. જમ્મુ અને કાશ્મીરમાં ખાસ કરીને પ્રવાસન સ્થળો અને સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા ગ્રીડ વધુ મજબૂત કરવામાં આવી હતી. સેનાએ એલઓસી પર દેખરેખ વધારી દીધી છે અને ડ્રોન દ્વારા પણ દેખરેખ ચાલુ છે. સર્ચ અને કોર્ડન ઓપરેશન સહિત બળવા-વિરોધી કામગીરીને વધુ તીવ્ર બનાવવામાં આવી હતી. સેનાએ એલઓસી પર વધારાની ટૂકડીઓ તૈનાત કરી છે. સરકારે સુરક્ષાદળોને ફ્રી હેન્ડ આપ્યા છે જેથી કરીને આતંકવાદી નેટવર્કને ખતમ કરી શકાય.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement