જમ્મુ-કાશ્મીર એલઓસી પર પાકિસ્તાનના આડેધડ ગોળીબારમાં ૧૫ નાગરિકોના મોત ,૪૩ ઘાયલ
ભારતીય સેના દ્વારા નાગરિકોને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખતાં આતંકીઓને જ નિશાન બનાવતું ઓપરેશન સિંદૂર હાથ ધરાયા બાદ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ આવી રહ્યું નથી. આજે તેણે જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આવેલી એલઓસી ખાતે સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં ઓછામાં ઓછા ૧૫ નાગરિકોના મોત થયા છે. જયારે ૪૩ જેટલા ઘાયલ થયા છે.
એકબાજુ પાકિસ્તાનના રક્ષા મંત્રી ભારત સાથે કોઇ કાર્યવાહી ન કરવાની ખાતરી આપી રહ્યા છે, ત્યારે બીજી બાજુ પાકિસ્તાની સેના સળંગ ૧૪મા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહી છે. પાકિસ્તાનના રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે જો ભારત આગળ કોઇ નવી કાર્યવાહી હાથ ન ધરે તો પાકિસ્તાન હૂમલો કરશે નહી.
પાકિસ્તાની સેના સિંદૂર ઓપરેશન બાદથી પૂંછ અને તંગધારમાં રહેણાંક વિસ્તારોને નિશાન બનાવતાં અંધાધૂંધ ગોળીબાર કરી રહી છે. મોર્ટાર વડે પણ હૂમલો કર્યો છે. જેમાં ૧૫ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, જયારે ૪૩ લોકો ગંભીર રૂપે ઘવાયા છે. સરહદ પર આવેલા વિસ્તારોમાં ઘરો, દુકાનો, બિલ્ડિંગને નુકસાન પહોંચાડતા હૂમલો કર્યો હતો. બોમ્બ ઝીંકતા ઘણા વાહનો સળગી ઉઠયા હતા. પાકિસ્તાની સેનાએ જમ્મુમાં રાજૌરી, કુપવાડા જિલ્લામાં ઉરી, કર્નાહ અને તંગધારવિસ્તારોમાં, પૂંછમાં આવેલી સરહદ પર બોમ્બ અને ગોળીબાર કરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું. સમગ્ર સરહદી પટ્ટામાં રાત્રે બે વાગ્યાની આસપાસ ગોળીબાર શરૂ થયો હતો. જેમાં ડઝનબંધ રહેણાંક મકાનોને નુકસાન થયું હતું. વિસ્ફોટોના અવાજથી લોકો સુરિક્ષત સ્થળે આશ્રય લેવા દોડતા અફરાતફરી મચી હતી. પાકિસ્તાની દળોએ ભારે તોપખાના અને મોર્ટારનો ઉપયોગ કરીને પંૂછ શહેરમાં ડઝનબંધ ગામો અને ગીચ વસ્તીવાળા નાગરિકો વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. બીએસએફસહિત ભારતીય સુરક્ષા દળોએ ઢાંકીમાં રહેતા ૧૫૦થી વધુ લોકોને સુરિક્ષત સ્થળે ખસેડયા છે. ભારતના ઓપરેશન સિંદૂર મિશનથી પાકિસ્તાન ગભરાય ગયું છે. તે ભારતીય સેનાનો સામનો કરવા બદલે નિર્દોષ નાગરિકોના જીવ લઇ રહ્યું હોવાનાઆક્ષેપો સ્થાનિકોએ કર્યા છે.