Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

મહેમદવાદના સિદ્ધિ વિનાયક મંદિરનો ભવ્ય વિકાસ – પ એકરમાં વિસ્તરણ, રૂ. 4.50 કરોડનો ખર્ચ

મહેમદવાદના સિદ્ધિ વિનાયક મંદિરનો ભવ્ય વિકાસ – પ એકરમાં વિસ્તરણ, રૂ. 4.50 કરોડનો ખર્ચ

મહેમદાવાદની ખાત્રજ ચોકડીએ આવેલ સિદ્ઘિ વિનાયક મંદિર ગણેશભકતોમાં આગવું માહાત્મય ધરાવે છે. આ મંદિરે દર્શનાર્થીઓની ઉમટતી ભીડ સહિતના આયોજનને ધ્યાને લઇને મંદિરનો પ એકરમાં વ્યાપ વધારવામાં આવનાર છે. જેમાં ગુજરાત વિકાસ બોર્ડના સહયોગથી ૪.પ૦ કરોડના ખર્ચ કોરિડોર તૈયાર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ર૦૦૧માં મંદિરનું નિર્માણ કરાયું હતું અને ર એકરમાં મંદિર, બગીચો અને પાર્કિગ વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે પ એકરમાં કોરિડોરની સાથે મુખ્ય મંદિર સિવાય નવા નિર્માણ કરવામાં આવશે. દર મંગળવાર, રવિવાર તેમજ તહેવારો દરમ્યાન સરેરાશ દસ હજારથી વધુ ભકતો દાદાના દર્શનાર્થ ઉમટતા હોવાથી કોરિડોર તૈયાર કરવાનું નકકી કરાયું હતું.

નવા આયોજનમાં નવી ભોજનશાળા, પ્રસાદરૂમ, શૌચાલય, વિશેષ પાર્કિગ, હેલિપેડ, આરામ ગૃહ, પ્રદિક્ષણા પથ, પાણીની પરબ, પગરખાં ઘર, વોર્કિગ વે, એકસાથે પ૦ ગાડી નીકળે શકે તેવો વિશાળ બહાર જવાના માર્ગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Advertisement

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement