Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

વિસાવદર અને કડીની પેટાચૂંટણી: ત્રિપાંખીયો જંગ શરૂ

વિસાવદર અને કડીની પેટાચૂંટણી: ત્રિપાંખીયો જંગ શરૂ

ગુજરાતની બે વિધાનસભા બેઠક કડી અને વિસાવદર માટે આજે (25 મે, 2025) પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ બંને બેઠક માટે 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે. 26 મેથી ચૂંટણીફોર્મ ભરવાની શરૂઆત થશે. ચૂંટણી પંચ દ્વારા સમયસૂચકતા અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સુનિશ્ચિત કરવા તમામ તૈયારી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીનું ફેબ્રુઆરીમાં અવસાન થતાં કડી વિધાનસભાની સીટ ખાલી પડી છે. તો વિસાવદરની સીટ પર આપમાંથી જીતેલા ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા અહીં પણ ફરી પેટાચૂંટણી યોજાવાની છે.

વિસાવદરની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થશે, કારણ કે આમ આદમી પાર્ટી ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરી ચૂકી છે. આપે ઉમેદવાર જાહેર કર્યા બાદ કોંગ્રેસે પણ અહીં એકલે હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. આમ ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ જામશે.

ભાજપે વિસાવદર બચાવવાના બેનર લગાડતા શરમ આવવી જોઈએ

વિસાવદરની પેટા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજકીય ગરમાગરમી શરૂ થઈ ગઈ છે. સુરત પ્રવાસે સામાજિક કાર્યક્રમમાં આવેલા આપના નેતા ઈશુદાન ગઢવીએ વિસાવદરની ચૂંટણીને લઈને પોતાનું નિવેદન આપ્યું છે. AAP નેતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, વિસાવદરની ચૂંટણી જાહેર થઈ ગયા બાદ ભાજપ દ્વારા બેનર લગાડવામાં આવ્યો છે. જેમાં ‘ભાજપ લાવો વિસાવદર બચાવો’ લખ્યું છે. તાલુકા પંચાયતથી લઈને જિલ્લા પંચાયત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભારતીય જનતા પાર્ટીની છે ત્યારે વિસાવદરની જનતાને કોનાથી બચાવવાની તેઓ વાત કરી રહ્યા છે. ભાજપ રૂપિયાના જોડે ધારાસભ્યોની ખરીદી કરે છે અને વારંવાર વિસાવદરની જનતાનું અપમાન કરે છે.

વિસાવદરની જનતાનો અમે સર્વે કરાવ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે અમને મજબૂત નેતા જોઈએ છે. અમે આજે પણ ભાજપને હરાવવા માટે તૈયાર છીએ. હું ભાજપના અને કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ કહું છું કે, ગોપાલ ઇટાલીયા પ્રજાનો અવાજ બનવા જઈ રહ્યા છે ત્યારે એને જીતાડવા માટે તમે પણ પ્રયાસો કરો. વિસાવદરની ચૂંટણી ભાજપ હારશે તો ખેડૂતોનું દેવું માફ કરશે, ઇકોઝોન નાબૂદ કરશે. ભાજપ ચૂંટણી હારશે તો કપાસ અને મગફળીના પૂરતા ભાવ આપશે. મારે કોંગ્રેસને પણ વિનંતી છે કે, ચાર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના ટેકો આપ્યો છે. વિસાવદરની ચૂંટણીમાં તમે ઉમેદવાર ઉભો રાખવાની વાત કરી તમે ગઠબંધન તોડી રહ્યા છો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે, કદાચ એવા જ કોઈ નેતાઓના દબાણમાં આવીને તમે ઉમેદવાર ઊભા રાખી રહ્યા છો.

કોંગ્રેસ 1 જૂન સુધીમાં ફોર્મ ભરાવી દેશે

આ અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કોંગ્રેસ 1 જૂન સુધીમાં બંને બેઠકો પર ફોર્મ ભરાવી દેશે. બંને વિધાનસભામાં કોંગ્રેસ અગાઉથી જ કામ કરી રહી છે.

કોંગ્રેસે સીટ દીઠ 4-4 પ્રભારી નિયુક્ત કર્યા

કડી વિધાનસભા

  1. ગેનીબેન ઠાકોર
  2. જીગ્નેશ મેવાણી
  3. કિરીટ પટેલ
  4. રઘુ દેસાઈ

વિસાવદર વિધાનસભા

  1. પરેશ ધાનાણી
  2. પુંજા વંશ
  3. ઇન્દ્રનીલ રાજ્યગુરુ
  4. વશરામ સાગઠીયા

વિસાવદર બેઠક પર 50% લેઉવા પટેલ મતદારો

જૂનાગઢ જિલ્લાની વીસાવદર વિધાનસભા બેઠકને ગુજરાતનું રાજકીય એપી સેન્ટર કહી શકાય. કેમ કે આ સીટ પરથી જ જીતીને ભાજપના દિગ્ગજ નેતા અને કેશુભાઈ પટેલ 1995માં પહેલીવાર મુખ્યમંત્રી બની ગાંધીનગરની ગાદી પર બેઠા હતા. ત્યારે લેઉવા પટેલના વર્ચસ્વવાળી આ સીટ પર મતદારોની વાત કરવામાં આવે તો 2.60 લાખથી વધુ મતદારોનો સમાવેશ થાય છે અને એમાં 50% લેઉવા પટેલ મતદારોનો સમાવેશ થાય છે. વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ તાલુકાનાં 170થી વધુ ગામોનો આ મત વિસ્તારમાં સમાવેશ થાય છે. છેલ્લા એક દાયકામાં એટલે કે, 2014થી 2024 સુધીના સમયમાં કેશુભાઈ પટેલ, હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી એમ કુલ 3 ધારાસભ્યએ ચાલુ ટર્મ દરમિયાન રાજીનામું આપ્યું હોવાની ઘટના બનવા પામી છે. ત્યારે 10 વર્ષ બાદ ફરી વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી સાથે સાથે વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાશે.

31 મે સુધીમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિ થશે

15 એપ્રિલે અમદાવાદ આવેલા રાહુલ ગાંધીએ રાજીવ ગાંધી ભવનમાં યોજેલી પ્રથમ બેઠકમાં જ કોંગ્રેસના નિરીક્ષકોને જવાબદારી સોંપી દીધી હતી. એક કેન્દ્રીય નિરીક્ષક સાથે 4 ગુજરાતના નિરીક્ષકની ટીમ બનાવી હતી, જેઓને 10 દિવસમાં કોંગ્રેસને જે-તે જિલ્લા અંગેનો પ્રથમ રિપોર્ટ સબ્મિટ કરવા જણાવ્યું ગતું. ત્યારબાદ 45 દિવસમાં, એટલે કે 31 મે સુધીમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક પૂર્ણ કરાશે, તેવુ ઉમેર્યું હતું.

AICCના નિરીક્ષકોને જિલ્લાની ફાળવણી કરી દીધી છે અને પ્રદેશના નિરીક્ષકો કયા જિલ્લામાં જશે એનો નિર્ણય પ્રભારી લેશે. આ નિરીક્ષકો 23 એપ્રિલથી 8 મે સુધી જિલ્લામાં જશે. જિલ્લાના તમામ આગેવાનો અને કાર્યકરોનો અભિપ્રાય લેશે ત્યાર બાદ સામાજિક અને ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખી નામો નક્કી કરાશે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement