સુરતમાં સગર્ભાઓને એક્સપાયર્ડ કઠોળનું વિતરણ, તંત્રની બેદરકારી સામે આવી

સુરતમાં સગર્ભાઓને એક્સપાયર્ડ કઠોળનું વિતરણ, તંત્રની બેદરકારી સામે આવી

સુરતના પાંડેસરા વિસ્તારમાં ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને વિતરણ માટે મોકલાયેલો કઠોળનો જથ્થો એક્સપાયર્ડ હોવાનું સામે આવ્યું છે. 25થી વધુ આંગણવાડીઓમાં પહોંચેલા આ રાશનની તપાસ દરમિયાન પેકેટ પરની સમયમર્યાદા પૂર્ણ થઈ ગયેલી હોવાનું બહાર આવતાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. આ ઘટનાને લઈને સગર્ભા મહિલાઓ અને નવજાત બાળકોના આરોગ્ય સાથે ચેડાં થયાના આક્ષેપો થઈ રહ્યા છે.

વેપારીના દાવા મુજબ સરકારી ગોડાઉનમાંથી જ એક્સપાયર્ડ માલ સપ્લાય કરવામાં આવ્યો હતો અને ફરિયાદ છતાં તેને પરત લેવામાં આવ્યો નથી. આંગણવાડી કાર્યકરોએ પણ હવે આ જથ્થો સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. સમગ્ર મામલે સ્થાનિકો અને કાર્યકરો દ્વારા તાત્કાલિક તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને સપ્લાયરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.