Advertisement

ગુજરાત AAPમાં ભંગાણ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી વચ્ચે જ સાગર રબારીનું રાજીનામું, પક્ષમાં મોટું ગાબડું!

ગુજરાત AAPમાં ભંગાણ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી વચ્ચે જ સાગર રબારીનું રાજીનામું, પક્ષમાં મોટું ગાબડું!

ગાંધીનગર: ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક તરફ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે, ત્યાં બીજી તરફ આમ આદમી પાર્ટી (AAP) ને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. પક્ષના વરિષ્ઠ નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ અચાનક જ પક્ષના તમામ હોદ્દાઓ અને સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે.


સોશિયલ મીડિયા પર કરી ભાવુક પોસ્ટ

સાગર રબારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ નિર્ણયની જાહેરાત કરતા લખ્યું કે, "હું મારી આમ આદમી પાર્ટી સાથેની યાત્રા આજે અહીં પૂરી કરું છું. પાર્ટીના સભ્યપદ, હોદ્દા અને જવાબદારીમાંથી મારી જાતને મુક્ત કરું છું. અત્યાર સુધીના સહયોગ બદલ તમામ સાથીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું."


ખેડૂત નેતાની વિદાય: સંગઠન માટે મોટું નુકસાન

સાગર રબારી માત્ર નેતા જ નહીં, પરંતુ ગુજરાતના જાણીતા ખેડૂત નેતા પણ છે. ગ્રામીણ વિસ્તારોમાં પક્ષને મજબૂત કરવામાં તેમની ભૂમિકા ઘણી મહત્વની રહી છે. થોડા સમય પહેલા જ રાજુ કરપડાએ પક્ષ છોડ્યા બાદ હવે સાગર રબારીની વિદાયથી ગુજરાતમાં AAPનું સંગઠન નબળું પડે તેવી શક્યતા છે.


શું હશે આગામી રણનીતિ?

સાગર રબારી હવે કયા પક્ષમાં જોડાશે અથવા તો તેઓ ફરીથી ખેડૂત સંગઠનોમાં સક્રિય થશે તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી. જોકે, ચૂંટણીના પરિણામો પહેલા જ આટલા મોટા નેતાનું રાજીનામું આપવું તે ગુજરાતના રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક જગાવી રહ્યું છે.

Advertisement