બિહારના આષોકધામ મંદિરમાં ભાગદોડ મચવાથી 8 કાવડીયાએ જીવ ગુમાવ્યો. લખીસરાય મંદિરમાં મોટી દુર્ઘટના. ભક્તોની ભીડમાં અચાનક નાસભાગ મચી. જેને લઈને 8 કાવડીયાના જીવ ગયાં અને અનેક લોકો ઘાયલ થયાં. રસ્તાની આસપાસ ખેતર હતા અને બેરીકેટર ભીડના કારણે હટી ગયાં જેના કારણે લોકો ખેતરોમાં એક પછી એક અને ઉપરા ઉપરી પડ્યાં. જોકે મોતનો આંકડો વધવાની પણ પુરેપુરી સંભાવના છે. હોસ્પિટલમાં એક જ ઈમર્જન્સી ડોક્ટર હોવાને કારણે લોકોનો ઈલાજ સમયસર નથી થઈ શક્યો. જો ડોક્ટરની યોગ્ય હાજરી હોત તો આ મોતના આંકડાને પણ વધતાં અટકાવી શકાય એમ હતું.
બિહારના આષોકધામ મંદિરમાં ભાગદોડ મચવાથી 8 કાવડીયાએ જીવ ગુમાવ્યો.