આણંદ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
-
પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ નંબર પ્લેટ વગરની બાઈક સાથે એક ઈસમને પકડી પૂછપરછ કરતાં તેણે મંદિરમાં ઘુસી ચાંદીની ગદા અને હરસિદ્ધિ માતાજીનું મુખારવિંદ ચોરી કરવાની કબૂલાત કરી હતી. આ ચોરી 9 માર્ચ દરમિયાન મંદિરમાંથી કરવામાં આવી હતી.
-
પોલીસે આરોપી કાન્તીભાઈ ઠાકોર (ઉંમર 44)ને ઝડપી લઈને તેના પાસેથી ચોરીનો માલ, બાઈક અને મોબાઈલ સહિત કુલ રૂ. 49,300નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ દ્વારા આરોપી સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ઉમરેઠ હનુમાનજી મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો: LCBએ આરોપી ઝડપ્યો, ચાંદીના આભૂષણ સહિત મુદ્દામાલ કબ્જે