પાન મસાલાની જાહેરાતને લઈને બોલિવૂડના ત્રણ મોટા સ્ટાર્સ મુશ્કેલીમાં મુકાયા છે.

પાન મસાલાની જાહેરાતને લઈને બોલિવૂડના ત્રણ મોટા સ્ટાર્સ મુશ્કેલીમાં મુકાયા છે.

પાન મસાલાની જાહેરાતને લઈને બોલિવૂડના ત્રણ મોટા સ્ટાર્સ મુશ્કેલીમાં મુકાયા છે.

અજય દેવગણ અને ટાઈગર શ્રોફે મહારાષ્ટ્ર FDAની નોટિસનો જવાબ આપી દીધો છે, જ્યારે શાહરૂખ ખાનનો જવાબ હજુ સુધી મળ્યો નથી.

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને અજય દેવગણ, શાહરૂખ ખાન અને ટાઈગર શ્રોફને ‘વિમલ ઈલાયચી’ની જાહેરાત મામલે નોટિસ પાઠવી હતી. ત્રણેય કલાકારોને નિર્ધારિત સમયમર્યાદામાં જવાબ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

FDAનો મુખ્ય સવાલ એ છે કે ‘વિમલ ઈલાયચી’ની જાહેરાત ક્યાંક વિમલ પાન મસાલાના સરોગેટ પ્રમોશન તરીકે તો કરવામાં આવી રહી નથી ને?

મહારાષ્ટ્રમાં પાન મસાલાના પ્રમોશન પર પ્રતિબંધ છે. FDAનું કહેવું છે કે જાહેરાત ભલે ઈલાયચી જેવા અલગ પ્રોડક્ટની હોય, પરંતુ તેની બ્રાન્ડિંગ અને પ્રચારની રીત પાન મસાલા સાથે પરોક્ષ રીતે જોડાયેલી હોઈ શકે છે.

આ મામલે FDAએ ત્રણેય કલાકારો પાસે પુરાવા માંગ્યા હતા કે તેઓ જે ‘વિમલ ઈલાયચી’ની જાહેરાત કરી રહ્યા છે, તે ખરેખર અલગ પ્રોડક્ટ માટેની જાહેરાત છે અને પ્રતિબંધિત પાન મસાલા કે તમાકુના ઉત્પાદનોનું સરોગેટ પ્રમોશન નથી.

હાલમાં અજય દેવગણ અને ટાઈગર શ્રોફના જવાબ FDAને મળી ગયા છે, જ્યારે શાહરૂખ ખાન તરફથી હજુ કોઈ જવાબ મળ્યો નથી. હવે FDA શાહરૂખના જવાબની રાહ જોઈ રહ્યું છે.

જો નિર્ધારિત સમયમર્યાદામાં જવાબ ન આપવામાં આવે, તો નિયમો અનુસાર દંડ અથવા કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. જોકે, શાહરૂખ સામે ચોક્કસ કઈ કાર્યવાહી થશે તે અંગે હજુ સત્તાવાર સ્પષ્ટતા નથી.

આ પહેલીવાર નથી જ્યારે પાન મસાલાની જાહેરાતને લઈને બોલિવૂડ સેલિબ્રિટીઝ સવાલોના ઘેરામાં આવ્યા હોય.

અજય દેવગણ અગાઉ પણ કહી ચૂક્યા છે કે તેઓ માત્ર ઈલાયચીની જાહેરાત કરે છે, જ્યારે કોઈ પ્રોડક્ટ હાનિકારક હોય તો તેના વેચાણ અને ઉત્પાદન પર જ પ્રતિબંધ મૂકવો જોઈએ.

બીજી તરફ, શાહરૂખ ખાન પણ વર્ષો પહેલાં એક ઈન્ટરવ્યુમાં કહી ચૂક્યા છે કે જો કોઈ પ્રોડક્ટ ખરેખર હાનિકારક છે, તો સરકારે તેના ઉત્પાદન અને વેચાણ પર જ પ્રતિબંધ મૂકવો જોઈએ.

હવે જોવાનું એ રહેશે કે શાહરૂખ ખાન FDAની નોટિસનો શું જવાબ આપે છે અને આ સમગ્ર પાન મસાલા એડ વિવાદ ક્યાં સુધી પહોંચે છે.