1️⃣ ચોમાસામાં ભારે વરસાદથી બનાસકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં ખેતીને મોટાપાયે નુકસાન થયું હતું, જેને પગલે સરકારે 1138 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું.
2️⃣ છતાં 6 મહિના બાદ પણ 700થી વધુ ખેડૂતોને સહાય મળી નથી, જે બાબત કૃષિ વિભાગે વિધાનસભામાં સ્વીકારી છે.
3️⃣ ખાતર, બિયારણ, મજૂરી અને સિંચાઈ ખર્ચ વધતા ખેડૂતો પહેલેથી જ આર્થિક સંકટમાં છે.
4️⃣ પાકના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો પર ડબલ માર પડ્યો છે, જેના કારણે મુશ્કેલી વધુ વધી છે.
5️⃣ મગફળી ખરીદી બાદ પણ ખેડૂતોને ચુકવણી ન થતા સરકારની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે અને ખેડૂતોમાં રોષ ફેલાયો છે.