ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ અવસરે હાજર આગેવાનો અને અધિકારીઓએ તેમને યાદ કરીને તેમની સેવા અને બંધારણ રચનામાં આપેલા અમૂલ્ય યોગદાનને નમન કર્યું હતું.
બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરને વિધાનસભા ખાતે પુષ્પાંજલિ