અમદાવાદની જગન્નાથજી રથયાત્રાના બંદોબસ્તમાં હવે AI પોલીસની મદદ કરશે! બહારના જિલ્લાઓથી આવતા 4500થી વધુ પોલીસકર્મીઓની ડ્યુટી, રહેવા-જમવાની વ્યવસ્થા અને રિપોર્ટિંગ અધિકારી સહિતની તમામ માહિતી નવી ‘રથયાત્રા વોઈસ AI’ સિસ્ટમ દ્વારા ફોન પર જ મળશે. રજિસ્ટર્ડ નંબર પરથી કોલ કરતાં ‘જય જગન્નાથ’થી સ્વાગત કરી AI પોલીસકર્મીને તેની વ્યક્તિગત અને સચોટ માહિતી આપશે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તૈયાર કરાયેલી આ સ્માર્ટ સિસ્ટમથી રથયાત્રાનું પોલીસ મેનેજમેન્ટ વધુ સરળ બનશે.
અમદાવાદ રથયાત્રાની સુરક્ષામાં હવે AIની એન્ટ્રી! બહારથી આવતા હજારો પોલીસકર્મીઓના ડ્યુટી અને રહેવા સંબંધિત પ્રશ્નોના જવાબ આપશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ