Advertisement

આણંદના વિદ્યાનગરમાં ઘરમાં આગ, ફાયર બ્રિગેડે સમયસર કાબુ મેળવી જાનહાની ટળી

આણંદના વિદ્યાનગરમાં ઘરમાં આગ, ફાયર બ્રિગેડે સમયસર કાબુ મેળવી જાનહાની ટળી

આણંદના વિદ્યાનગર વિસ્તારમાં આવેલા જલારામ સોસાયટીના એક મકાનમાં અચાનક આગ લાગતા હાહાકાર મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર કંટ્રોલ રૂમમાં કોલ મળતા તાત્કાલિક ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ ટીમે ઝડપી કાર્યવાહી કરીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

Advertisement