1️⃣ અમેરિકી હુમલા બાદ 84 નાવિકોના મોત
હિંદ મહાસાગરમાં અમેરિકી હુમલાનો ભોગ બનેલા ઈરાની જહાજ IRIS ડેના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. શ્રીલંકાના ગાલે તટ નજીક થયેલા હુમલા બાદ મૃત થયેલા 84 ઈરાની નાવિકોની લાશોને તુર્કીના ખાસ વિમાન દ્વારા ઈરાન મોકલવામાં આવી છે.
2️⃣ 4 માર્ચે થયો હતો ટોરપીડો હુમલો
રિપોર્ટ મુજબ 4 માર્ચે શ્રીલંકાના ગાલે નજીક હિંદ મહાસાગરમાં અમેરિકાએ જહાજ પર ટોરપીડો હુમલો કર્યો હતો, જેના કારણે જહાજ ડૂબી ગયું હતું. આ ઘટનામાં 84 નાવિકોના મોત થયા હતા જ્યારે 32 નાવિકો બચી ગયા હતા, જેમની સારવાર શ્રીલંકાની હોસ્પિટલમાં ચાલી રહી હતી.
3️⃣ વિશાખાપટ્ટનમથી ઈરાન પરત ફરી રહ્યું હતું જહાજ
આ ઈરાની જહાજ ભારતના વિશાખાપટ્ટનમમાં યોજાયેલા International Fleet Review 2026માં ભાગ લઈને ઈરાન પરત જઈ રહ્યું હતું ત્યારે આ હુમલો થયો હોવાનું જણાવવામાં આવ્યું છે.
4️⃣ ઈરાનની કડક પ્રતિક્રિયા
આ ઘટનાને લઈને ઈરાનના સૈન્ય અને વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપી છે અને જહાજ પર થયેલા હુમલાનો બદલો લેવાની ચેતવણી આપી છે. ઈરાનના અધિકારીઓએ આ હુમલાને સમુદ્રમાં થયેલી ગંભીર બર્બરતા ગણાવી છે.