પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 માર્ચે ગુજરાતની મુલાકાતે આવી બનાસકાંઠાના વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન, રેલવે અને શહેરી વિકાસ સહિતના મોટા પ્રોજેક્ટ્સને લીલી ઝંડી મળશે, જેના કારણે રાજ્યના વિકાસને વધુ વેગ મળશે.
કેન્દ્ર સરકારના અંદાજે ₹10,921 કરોડના પ્રોજેક્ટ્સ હેઠળ ઊર્જા ક્ષેત્રમાં કચ્છના ખાવડા ખાતે હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કના પ્રોજેક્ટ્સ, તેમજ હાઇવે અને રેલવે કનેક્ટિવિટી વધારતા મહત્વના કામો શરૂ થશે. સાથે જ રાજ્ય સરકારના ₹8,886 કરોડના પ્રોજેક્ટ્સમાં અમદાવાદ-ગાંધીનગર સહિતના વિસ્તારોમાં શહેરી વિકાસ, રસ્તા, પાણી પુરવઠા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મોટા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજ્યના 34 જિલ્લાઓના 38,949 લાભાર્થીઓને નવા ઘરની ચાવી પણ સોંપવામાં આવશે. આથી હજારો પરિવારોનું પોતાના ઘરનું સપનું સાકાર થશે અને ગ્રામ્ય વિકાસને નવી દિશા મળશે.