૧૧૧-ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહજી પ્રતાપસિંહજી ચૌહાણે આજે પોતાના ઉમેદવારી પત્ર રજૂ કર્યા છે. આ સાથે ઉમરેઠની ચૂંટણીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે અને હવે આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા છે.
ઉમરેઠમાં કોંગ્રેસનો જોરદાર દાવ! ભૃગુરાજસિંહ ચૌહાણે ભર્યું ઉમેદવારી પત્ર, હવે ચૂંટણી જંગમાં આવશે રંગ