ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદભાઈ પરમાર દ્વારા ભવ્ય જનસંપર્ક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સ્થાનિક કાર્યકરો અને સમર્થકોનો ભારે ઉમાળો જોવા મળ્યો હતો. રેલી દરમિયાન હર્ષદભાઈ પરમારે વિવિધ વિસ્તારોમાં જઈને મતદારો સાથે સીધો સંપર્ક સાધ્યો અને ભાજપની વિકાસમૂખી નીતિઓ વિશે જાણકારી આપી.
આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ હર્ષ શહેરાવાળા, ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વખતે ઉમરેઠ વિધાનસભામાં કમળ ખીલશે અને હર્ષદભાઈ પરમાર ભવ્ય બહુમતીથી વિજયી બનશે. જનસંપર્ક રેલીને મળેલો પ્રતિસાદ ભાજપ માટે શુભ સંકેત માનવામાં આવી રહ્યો છે.