નવો ઈતિહાસ: સૂર્યકુમાર યાદવે તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, બન્યો T20Iનો સૌથી સફળ કેપ્ટન!

નવો ઈતિહાસ: સૂર્યકુમાર યાદવે તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, બન્યો T20Iનો સૌથી સફળ કેપ્ટન!

સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2026ની 36મી મેચમાં નેધરલેન્ડ્સને 17 રને હરાવ્યું છે. આ જીત સાથે ભારતે ગ્રુપ સ્ટેજમાં જીતનો ચોગ્ગો (સતત ચોથી જીત) ફટકારીને સુપર-8માં સ્થાન નિશ્ચિત કર્યું છે. આ જીતની સાથે જ સૂર્યકુમાર યાદવના નામે એક નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. સૂર્યા હવે T20I ક્રિકેટના ઇતિહાસમાં કેપ્ટન તરીકે સૌથી વધુ વિનિંગ પર્સન્ટેજ (જીતની ટકાવારી) ધરાવતો ખેલાડી બની ગયો છે. આ મામલે તેણે પૂર્વ કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો છે.


મેચનો સારાંશ


ભારતનો સ્કોર: પ્રથમ બેટિંગ કરતા 194 રનનો ટાર્ગેટ આપ્યો હતો.


નેધરલેન્ડ્સનો સ્કોર: ટાર્ગેટનો પીછો કરતા ટીમ 176 રન જ બનાવી શકી.મેચના હીરો: શિવમ દુબે, જેમણે તોફાની અડધી સદી ફટકારવાની સાથે 2 વિકેટ પણ ઝડપી હતી.


કેપ્ટન તરીકે સૂર્યાનો દબદબો (જીતની ટકાવારી)


નેધરલેન્ડ્સ સામેની જીત બાદ સૂર્યકુમાર યાદવની જીતની ટકાવારી 80.85% થઈ ગઈ છે, જે રોહિત શર્માના 80.65% કરતા થોડી વધુ છે.


સૂર્યકુમાર યાદવ 80.85%


રોહિત શર્મા 80.65 %


અસગર અફઘાન 80.39 %


ટીમ ઇન્ડિયાનો અજેય રથ


ટી20 વર્લ્ડ કપ 2026માં ભારતનું અભિયાન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. સતત ચાર મેચ જીતીને ભારત સુપર-8માં પહોંચી ગયું છે અને હવે ટીમની નજર સેમીફાઈનલ પર છે.


વર્લ્ડ રેકોર્ડ: નેધરલેન્ડ્સ સામેની જીત સાથે ભારતે ટી20 વર્લ્ડ કપમાં સતત 12 મેચ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભારત છેલ્લે 2022ના ટી20 વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હાર્યું હતું. ત્યારથી અત્યાર સુધી ભારત એક પણ મેચ હાર્યું નથી. ચાહકોને આશા છે કે, ટીમ ઇન્ડિયા આ વખતે પણ અજેય રહીને પોતાનું ટાઇટલ ડિફેન્ડ કરવામાં સફળ રહેશે.