મહાશિવરાત્રિ સ્પેશિયલ: આ વખતે ઘરે જ બનાવો ભોળેનાથને પ્રિય ‘ઠંડાઈ’, આ રહી સ્ટેપ-બાય-સ્ટેપ રેસીપી

મહાશિવરાત્રિ સ્પેશિયલ: આ વખતે ઘરે જ બનાવો ભોળેનાથને પ્રિય ‘ઠંડાઈ’, આ રહી સ્ટેપ-બાય-સ્ટેપ રેસીપી

હિંદુ ધર્મમાં મહાશિવરાત્રિનો દિવસ ભગવાન શિવની આરાધના અને પૂજા કરવાનો મહત્વપૂર્ણ અવસર છે, જે આત્મિક શુદ્ધિ અને શાંતિ માટે અનિવાર્ય માનવામાં આવે છે. વર્ષ 2026માં મહાશિવરાત્રિ 15 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે શિવભક્તો ઉપવાસ, જાગરણ અને પૂજા-અર્ચના કરીને મહાદેવની કૃપા મેળવવાનો પ્રયાસ કરે છે. શિવપૂજામાં ભોગનું વિશેષ મહત્વ હોય છે અને તેમાં ઠંડાઈને ખૂબ પવિત્ર અને પ્રિય માનવામાં આવે છે.


ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવને ઠંડક આપતી વસ્તુઓ બહુ ગમે છે. ઠંડાઈ એક પરંપરાગત ભારતીય પેય છે, જે શરીરને ઠંડક આપે છે અને સાથે જ આરોગ્ય માટે પણ લાભદાયી છે. તેમાં વપરાતા સૂકા મેવા, મસાલા અને દૂધ શરીરને ઉર્જા આપે છે. મહાશિવરાત્રિના દિવસે ઘરે બનાવેલી શુદ્ધ ઠંડાઈ મહાદેવને પ્રસાદ તરીકે અર્પણ કરવું શુભ માનવામાં આવે છે.


ઠંડાઈ બનાવવા માટે જરૂરી સામગ્રી:

2 મોટી ચમચી બદામ

1 મોટી ચમચી વરિયાળી

8-10 કાળી મરી

4-5 એલચી

10-12 કાજુ

8-10 પિસ્તા

1 મોટી ચમચી ગુલાબની પાંખડીઓ

4 કપ દૂધ

2 મોટી ચમચી ગુલાબજળ

3 મોટી ચમચી ગોળ અથવા ખાંડ

1-2 ચપટી કેસર

અડધી નાની ચમચી જાયફળ પાઉડર


ઠંડાઈ બનાવવાની રીત:


સૌ પ્રથમ બદામ, વરિયાળી, કાળી મરી, એલચી, કાજુ, પિસ્તા અને ગુલાબની પાંખડીઓને 4-5 કલાક અથવા આખી રાત્ર પાણીમાં પલાડી રાખો. પછી આ તમામ સામગ્રીને થોડા દૂધમાં ઉમેરીને મિક્સીમાં બારીક પીસી લો. હવે એક પેનમાં દૂધ ગરમ કરી તેમાં ગોળ અથવા ખાંડ ઉમેરીને સારી રીતે મિક્સ કરી, ઠંડુ થવા દો. દૂધ ઠંડુ થયા બાદ તેમાં તૈયાર કરેલું પેસ્ટ ઉમેરો. ત્યારબાદ ગુલાબજળ, કેસર અને જાયફળ પાઉડર ઉમેરો. મિશ્રણને છાણી લો જેથી મોટા કણ ન રહે. અંતે ઠંડાઈને 1-2 કલાક ફ્રિજમાં ઠંડી થવા મૂકો.


તૈયાર ઠંડાઈને ગ્લાસમાં પીરસી ઉપરથી પિસ્તા-બદામની કતરણ અને ગુલાબની પાંખડીઓથી સજાવો. આ પવિત્ર ઠંડાઈ મહાદેવને અર્પણ કરી પછી પ્રસાદરૂપે ગ્રહણ કરો.