સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા આવતીકાલે યોજાનારી નામંકન યાત્રાને લઈ કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને ભવ્ય બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, જ્યારે પાર્ટીના નેતાઓ દ્વારા જનતા સુધી વિકાસના મુદ્દાઓ પહોંચાડવા અને ચૂંટણીમાં જીત માટે એકજૂટ થવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.
કરમસદ-આણંદ મનપાના ભાજપાના ઉમેદવારોની નામાંકન યાત્રા આવતીકાલે સવારે 10:30 કલાકે અંબાજી મંદિરથી નીકળશે