Advertisement

હવે વરસાદ નહીં, AI કહેશે ક્યાં કેટલું પૂર આવશે! IIT ગાંધીનગરનું નવું ક્લાઈમેટ સેન્ટર પૂરની આફત પહેલાં જ આપશે એલર્ટ.

હવે વરસાદ નહીં, AI કહેશે ક્યાં કેટલું પૂર આવશે! IIT ગાંધીનગરનું નવું ક્લાઈમેટ સેન્ટર પૂરની આફત પહેલાં જ આપશે એલર્ટ.

IIT ગાંધીનગર દ્વારા કેમ્પસમાં આવેલા રિસર્ચ પાર્કમાં એઆઈ અને ફીઝિક્સ રીઅલ ટાઈમ ડેટા આધારિત કલાઈમેન્ટ સેન્ટર શરૂ કરાયું છે. જે હવે શહેરોમાં વરસાદની આગાહી-હવામાના વિભાગના ડેટા પરથી જ પૂરની આગોતરી માહિતી આપી દેશે. આ આ એઆઈ બેઝ કમાન્ડ સેન્ટર પૂરની રીયલ ટાઈમ જાણકારી શહેરોને આપશે અને જેનાથી આગોતરા પગલા પણ તંત્ર દ્વારા લઈ શકાશે.


અધ્યાપકો દ્વારા તૈયાર એઆઈ કમાન્ડ સેન્ટર પૂરની રીયલ ટાઈમ માહિતી આપશે 


આજે ભારતના અનેક શહેરોમાં વધતા શહેરીકરણ સાથે પૂરનું જોખમ ખૂબ જ વધ્યું છે, ત્યારે પૂર સમયે કરોડો રૂપિયાના નુકશાન થવા ઉપરાંત જાનહાની પણ થાય છે. આવા સમયે જો પૂરની આગોતરી માહિતી મળી જાય તો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં મોટી સરળતા થઈ શકે છે. આઈઆઈટી ગાંધીનગર દ્વારા આજે એઆઈ રીઝિલન્યસ એન્ડ કમાન્ડ સેન્ટટ લોન્ચ કરવામા આવ્યુ છે. આ સેન્ટર આઈઆઈટી ગાંધીનગરના કલાઈમેટ ચેન્જ વિભાગના અધ્યાપકોની ટીમ તૈયાર કરાયેલા રિસર્ચ અને મળેલ પેન્ટના આધારે ઊભુ કરવામા આવ્યુ છે.


આ અંગે શહેરી પૂર મોડ્યુલના મુખ્ય આઈઆઈટી તપાસકર્તા અને ગાંધીનગરના પ્રોફેસર ઉદિત ભાટીયાએ જણાવ્યુ હતું કે આ સેન્ટર ફીઝિક્સના નિયમોને આધારે મશિન લર્નિંગ-રીયલ ટાઈમ ડેટા સાથે એઆઈને જોડીને પૂરની માહિતી આપશે. હવામાન વિભાગની વરસાદની આગાહી તેમજ ક્યા કેટલો વરસાદ પડશે, તેના ડેટા અને સેટેલાઈટ ડેટા પરથી આ સેન્ટર થોડા કલાકો બાદ ક્યા વિસ્તારમાં કેટલુ પાણી ભરાશે અને ક્યા ભયાનક પૂર આવશે. તેમજ ક્યા ભારે ટ્રાફિક જામ થશે તેની આગોતરી માહિતી આપી દેશે. હાલ આ સેન્ટર દ્વારા ગુરૂગ્રામ અને આંધપ્રદેશના આરટીજીએસ સરકારી વિભાગ સાથે એમઓયુ કરવામા આવ્યા છે અને આગામી સમયમાં વિવિધ શહેરો સાથે પણ એમઓયુ કરાશે. ગાંધીનગર સત્તામંડળ સાથે પણ વાત ચાલી રહી છે.


Advertisement