ગુજરાત સરકારે વર્ષ 2026-27ના બજેટમાં 'વિકસિત ગુજરાત@2047'ના લક્ષ્યને હાંસલ કરવા માટે શિક્ષણ અને શ્રમ કૌશલ્ય પર વિશેષ ભાર મૂક્યો છે. નાણામંત્રીએ વિદ્યાર્થીઓના ઉત્થાન અને શ્રમિકોની સામાજિક સુરક્ષા માટે ખજાનો ખોલી દીધો છે.
શિક્ષણ ક્ષેત્રે 'જ્ઞાનશક્તિ'નો ઉદય:
ફ્રી પાઠ્યપુસ્તકો: 70 લાખથી વધુ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પૂરા પાડવા ₹231 કરોડની ફાળવણી.
નમો સરસ્વતી યોજના: વિજ્ઞાન પ્રવાહના 2.50 લાખ વિદ્યાર્થીઓને સહાય માટે ₹250 કરોડ.
બસ પાસ કન્સેશન: એસ.ટી. બસમાં મુસાફરી કરતા 13 લાખ વિદ્યાર્થીઓ માટે ₹223 કરોડની રાહત.
દીકરીઓ માટે સુવિધા: 9.72 લાખ દીકરીઓને મફત સેનેટરી નેપકીન પૂરા પાડવા ₹47 કરોડની જોગવાઈ.
પી.એમ.શ્રી શાળાઓ: 926 હાઈ-ટેક શાળાઓ માટે ₹114 કરોડનું આયોજન.
શ્રમ અને રોજગાર: શ્રમિકોની સુરક્ષા પ્રથમ:
કૌશલ્ય વિકાસ: નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન માટે ₹226 કરોડ.
શ્રમિક અન્નપૂર્ણા: શ્રમિકોને પૌષ્ટિક ભોજન આપવા ₹200 કરોડની જોગવાઈ.
ITI અપગ્રેડેશન: રાજ્યની ITIમાં આધુનિક યંત્રો અને માળખાકીય સુવિધાઓ માટે ₹148 કરોડ.
અકસ્માત વીમો: બાંધકામ શ્રમિકોના આકસ્મિક મૃત્યુ પર ₹5 લાખની સહાય માટે ₹12 કરોડ.
અગરિયાઓ માટે આવાસ: મીઠાના અગરિયાઓને ઘરના ઘર માટે ₹25 કરોડની ફાળવણી.
અન્ય મહત્વની જાહેરાતો:
સ્કૂલ ઓફ એક્સલન્સ: રેસિડેન્શિયલ શાળાઓ માટે ₹223 કરોડ.
નમો કૌશલ્ય લક્ષ્મી: યુવતીઓના કૌશલ્ય વર્ધન માટે ₹40 કરોડ.
સંસ્કૃત શિક્ષણ: સંસ્કૃત નવાચાર યોજના દ્વારા ભાષાકીય વારસાનું જતન.