“ડિજિટલ ક્રાંતિના ૨૧મી સદીમાં ‘શૂન્ય કવરેજ’: નાળ‑નામનું ગામ કેમ હજુ નેટવર્કની બહાર છે?”

“ડિજિટલ ક્રાંતિના ૨૧મી સદીમાં ‘શૂન્ય કવરેજ’: નાળ‑નામનું ગામ કેમ હજુ નેટવર્કની બહાર છે?”

“ડિજિટલ ક્રાંતિના ૨૧મી સદીમાં ‘શૂન્ય કવરેજ’: નાળ‑નામનું ગામ કેમ હજુ નેટવર્કની બહાર છે?”

એકવીસમી સદીમાં જ્યાં આખી દુનિયા ડિજિટલ ક્રાંતિનો અનુભવ કરી રહી છે, ત્યાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું નાળ ગામ આજે પણ મોબાઈલ નેટવર્ક વિહોણું છે. આ ગામ, જે તાલુકાના છેવાડે આવેલું છે, ત્યાં છેલ્લા ઘણા વર્ષોથી એક પણ ટેલિકોમ કંપનીએ પોતાનો ટાવર ઊભો કર્યો નથી. આ સ્થિતિ ગામ લોકોને આધુનિક ટેકનોલોજીના લાભોથી વંચિત રાખી રહી છે અને તેમના રોજિંદા જીવન પર ગંભીર અસર કરી રહી છે.આધુનિક યુગમાં પણ મૂળભૂત સુવિધાઓનો અભાવઆજના સમયમાં જ્યાં ઓનલાઈન શિક્ષણ, સંદેશાવ્યવહાર અને સરકારી સેવાઓ માટે મોબાઈલ નેટવર્ક અનિવાર્ય બન્યું છે, ત્યાં નાળ ગામના લોકો આ મૂળભૂત સુવિધાથી વંચિત છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ માટે કે સરકારી ભરતી સંબંધિત માહિતી મેળવવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નેટવર્ક ન હોવાને કારણે તેમને ઓનલાઈન અરજીઓ ભરવા કે અન્ય કોઈ કામ માટે છેક તાલુકા મથક સુધી જવાની ફરજ પડે છે, જેના કારણે સમય અને પૈસા બંનેનો વ્યય થાય છે.

ગ્રામજનો પણ સરકારી યોજનાઓ કે અન્ય કોઈ મહત્ત્વપૂર્ણ માહિતીથી વંચિત રહે છે. ડિજિટલ ઇન્ડિયાના આ યુગમાં જ્યાં દરેક માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ છે, ત્યાં નાળ ગામના લોકો માહિતીની અછતનો ભોગ બની રહ્યા છે.

પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની રજૂઆત

આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને, સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભારત સરકારના સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે નાળ ગામમાં BSNLનો ટાવર સ્થાપવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે જેથી ગામલોકોને ડિજિટલ યુગના ફાયદા મળી શકે. ગામ લોકોને આશા છે કે પૂર્વ ધારાસભ્યની આ રજૂઆત પર તાત્કાલિક ધ્યાન આપવામાં આવે અને નાળ ગામને પણ ડિજિટલ ક્રાંતિનો હિસ્સો બનવાનો મોકો મળે.