સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ એક કારખાનામાં ભીષણ આગ લાગતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આગ દરમિયાન બે LPG ગેસ સિલિન્ડર ફાટતાં બે લોકોના મોત થયા છે અને 8થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
આગ ઝડપથી ફેલાતા ઇમારતમાં કામ કરતા શ્રમિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ 8થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા.
પ્રાથમિક તપાસમાં સિલિન્ડર બ્લાસ્ટની પુષ્ટિ થઈ છે, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. પોલીસે અને ફાયર વિભાગે તપાસ શરૂ કરી વધુ વિગતો જાણવા પ્રયાસ હાથ ધર્યો છે.
20 માર્ચે વસંત સમતોલ દિવસ: દિવસ-રાત સરખા, ખગોળીય રીતે મહત્વપૂર્ણ ક્ષણ